Ahmedabadમાં ભૂવાઓની ભરમાર વચ્ચે તંત્ર નિદ્રામાં, વાળીનાથ ચોક તરફ જવાનો રસ્તો બંધ

અમદાવાદમાં ભૂવાઓની ભરમાર વચ્ચે તંત્ર આરામમાં જોવા મળ્યું છે,શહેરમાં હજી પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે વાળીનાથ ચોક તરફ જવાનો રસ્તો બંધ કરાતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે એક તરફનો રસ્તો બંધ કરાતા અને રોડનું કામ કરાતા લોકો ફરીને જઈ રહ્યાં છે,રોડ બંધ કરાતા લોકોને મેમનગર સુધી ફરીને જવાનો વારો આવ્યો છે. અગાઉ પણ રોડ કરાયો હતો બંધ વાળીનાથ ચોક પાસે ભૂવો પડતા એક રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિકોને ફરીને જવાનો વારો આવ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે સાંજના સમયે એટલો ટ્રાફિક હોય છે જેના કારણે ખૂબ તકલીફ પડી રહી છે.તંત્ર દ્રારા કામગીરી ઝડપથી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે,એક તરફનો રોડ બંધ કરાતા લોકોને ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે,અગાઉ પણ રોડ બંધ કરાયો હતો જેને લઈ લોકોને તકલીફ પડી રહી છે. રન્નાપાર્કમાં પણ પડયો ભૂવો અમદાવાદ શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે શહેરમાં ફરી એકવાર ભૂવો પડયો છે,ઘાટલોડીયાના રન્નાપાર્ક પાસે ભૂવો પડયો છે,તંત્રના પાપે આખો રોડ બંધ કરી દેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ભૂવાની આજુબાજુનો રોડ બેસી જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોનું કહેવું છે કે પહેલા પણ આ જ જગ્યા પર ભૂવો પડયો હતો જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા પણ રહે છે. ચોમાસું ગયુ તેમ છત્તા ભૂવા પડે છે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેમ છત્તા ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે.અમદાવાદ શહેરમાં અત્યારસુધી અનેક વિસ્તારોમાં ભૂવા પડયા છે જેના કારણે સ્થાનિકોમાં રોશ જોવા મળ્યો છે,અમદાવાદ શહેર વિકસિત શહેર છે પરંતુ રોડ બનાવવામાં કોન્ટ્રાકટરો બેદરકારી દાખવે છે જેના કારણે ભૂવા પડે છે,ડામર સરખો લગાવવામાં આવતો નથી અને કપચી પાથરી દેવામાં આવે છે એટલે કપચી ઉખડી જાય છે અને રોડ પર ભૂવો પડી જાય છે. નહેરૂનગર વિસ્તારમાં પણ પડયો ભૂવો શહેરના અલગ અલગ માર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો અટક્યો નથી. શહેરના અતિવ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા નહેરૂનગર વિસ્તારમાં વધુ એક મહાકાય ભૂવો પડ્યો છે. નહેરૂનગર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યા બાદ તંત્ર માત્ર બેરિકેડ મુકીને સંતોષ માની રહ્યુ છે. હાલ તેને પૂરવાનું કોઈ કામ હાથ ધરાયુ નથી. અહીથી અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર હાલાકી વેઠવી પડે છે પરંતુ તંત્રને તેમની સમસ્યાની કંઈ પડી નથી. અહીંના સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે ભૂવાના સમારકામમાં તંત્ર લાલિયાવાડી દાખવી રહ્યુ છે.  

Ahmedabadમાં ભૂવાઓની ભરમાર વચ્ચે તંત્ર નિદ્રામાં, વાળીનાથ ચોક તરફ જવાનો રસ્તો બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ભૂવાઓની ભરમાર વચ્ચે તંત્ર આરામમાં જોવા મળ્યું છે,શહેરમાં હજી પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે વાળીનાથ ચોક તરફ જવાનો રસ્તો બંધ કરાતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે એક તરફનો રસ્તો બંધ કરાતા અને રોડનું કામ કરાતા લોકો ફરીને જઈ રહ્યાં છે,રોડ બંધ કરાતા લોકોને મેમનગર સુધી ફરીને જવાનો વારો આવ્યો છે.

અગાઉ પણ રોડ કરાયો હતો બંધ

વાળીનાથ ચોક પાસે ભૂવો પડતા એક રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિકોને ફરીને જવાનો વારો આવ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે સાંજના સમયે એટલો ટ્રાફિક હોય છે જેના કારણે ખૂબ તકલીફ પડી રહી છે.તંત્ર દ્રારા કામગીરી ઝડપથી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે,એક તરફનો રોડ બંધ કરાતા લોકોને ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે,અગાઉ પણ રોડ બંધ કરાયો હતો જેને લઈ લોકોને તકલીફ પડી રહી છે.


રન્નાપાર્કમાં પણ પડયો ભૂવો

અમદાવાદ શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે શહેરમાં ફરી એકવાર ભૂવો પડયો છે,ઘાટલોડીયાના રન્નાપાર્ક પાસે ભૂવો પડયો છે,તંત્રના પાપે આખો રોડ બંધ કરી દેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ભૂવાની આજુબાજુનો રોડ બેસી જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોનું કહેવું છે કે પહેલા પણ આ જ જગ્યા પર ભૂવો પડયો હતો જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા પણ રહે છે.

ચોમાસું ગયુ તેમ છત્તા ભૂવા પડે છે

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેમ છત્તા ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે.અમદાવાદ શહેરમાં અત્યારસુધી અનેક વિસ્તારોમાં ભૂવા પડયા છે જેના કારણે સ્થાનિકોમાં રોશ જોવા મળ્યો છે,અમદાવાદ શહેર વિકસિત શહેર છે પરંતુ રોડ બનાવવામાં કોન્ટ્રાકટરો બેદરકારી દાખવે છે જેના કારણે ભૂવા પડે છે,ડામર સરખો લગાવવામાં આવતો નથી અને કપચી પાથરી દેવામાં આવે છે એટલે કપચી ઉખડી જાય છે અને રોડ પર ભૂવો પડી જાય છે.

નહેરૂનગર વિસ્તારમાં પણ પડયો ભૂવો

શહેરના અલગ અલગ માર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો અટક્યો નથી. શહેરના અતિવ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા નહેરૂનગર વિસ્તારમાં વધુ એક મહાકાય ભૂવો પડ્યો છે. નહેરૂનગર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યા બાદ તંત્ર માત્ર બેરિકેડ મુકીને સંતોષ માની રહ્યુ છે. હાલ તેને પૂરવાનું કોઈ કામ હાથ ધરાયુ નથી. અહીથી અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર હાલાકી વેઠવી પડે છે પરંતુ તંત્રને તેમની સમસ્યાની કંઈ પડી નથી. અહીંના સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે ભૂવાના સમારકામમાં તંત્ર લાલિયાવાડી દાખવી રહ્યુ છે.