Ahmedabadના વેજલપુર પોલીસ સ્ટેશનના PSI રૂપિયા 80 હજારની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસ રૂપિયા 80 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે,આરોપીને માર નહી મારવાનો અને વધુ રિમાંડ નહી માગવા માટે લાંચની માંગણી કરી હતી.પોલીસ સ્ટેશનની સામે આવેલી હોટલમાં લાંચ લેવા પીએસઆઈ પહોંચ્યા હતા. કેમ માંગી હતી લાંચ આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીના પુત્ર વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાના કામે ફરીયાદીના પુત્રને માર નહી મારવા તથા ગાળો નહી બોલવા તથા રિમાંડ દરમિયાન હેરાન નહી કરવા આ કામના આક્ષેપિતે રૂ.૧,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદીએ પોતાની પાસે હાલ રૂ.૮૦,૦૦૦/- ની વ્યવસ્થા થઇ શકે તેમ છે. તેમ જણાવતા આક્ષેપિતે રૂ.૮૦,૦૦૦/- આજરોજ આપવા કહેલ અને ફરીયાદીને રૂ.૨૦,૦૦૦/- પછીથી આપવા જણાવેલ, પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૮૦,૦૦૦/- સ્વીકારી લાંચના છટકા દરમિયાન પકડાઇ ગયેલ હતા. આરોપી અને બનાવ સ્થળ પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસ ઉ.વ.૫૩ ધંધો-નોકરી- પી.એસ.આઇ. સર્વેલન્સ સ્કોડ વેજલપુર પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર, વર્ગ-૦૩ લાંચની માંગણીની રકમ: 80 હજારલાંચની સ્વીકારેલ રકમ : 80 હજારલાંચની રીકવર કરેલ રકમ : 80 હજારબનાવનુ સ્થળ વેજલપુર પોલીસ સ્ટેશન ની સામે, ભાગ્યોદય હોટલ આગળ જાહેરમાં, વેજલપુર,અમદાવાદ અધિકારીઓ સામે લેવાયા પગલા ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Ahmedabadના વેજલપુર પોલીસ સ્ટેશનના PSI રૂપિયા 80 હજારની લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસ રૂપિયા 80 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે,આરોપીને માર નહી મારવાનો અને વધુ રિમાંડ નહી માગવા માટે લાંચની માંગણી કરી હતી.પોલીસ સ્ટેશનની સામે આવેલી હોટલમાં લાંચ લેવા પીએસઆઈ પહોંચ્યા હતા.

કેમ માંગી હતી લાંચ

આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીના પુત્ર વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાના કામે ફરીયાદીના પુત્રને માર નહી મારવા તથા ગાળો નહી બોલવા તથા રિમાંડ દરમિયાન હેરાન નહી કરવા આ કામના આક્ષેપિતે રૂ.૧,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદીએ પોતાની પાસે હાલ રૂ.૮૦,૦૦૦/- ની વ્યવસ્થા થઇ શકે તેમ છે. તેમ જણાવતા આક્ષેપિતે રૂ.૮૦,૦૦૦/- આજરોજ આપવા કહેલ અને ફરીયાદીને રૂ.૨૦,૦૦૦/- પછીથી આપવા જણાવેલ, પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૮૦,૦૦૦/- સ્વીકારી લાંચના છટકા દરમિયાન પકડાઇ ગયેલ હતા.

આરોપી અને બનાવ સ્થળ

પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસ ઉ.વ.૫૩ ધંધો-નોકરી- પી.એસ.આઇ. સર્વેલન્સ સ્કોડ વેજલપુર પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર, વર્ગ-૦૩

લાંચની માંગણીની રકમ:

80 હજાર

લાંચની સ્વીકારેલ રકમ :

80 હજાર

લાંચની રીકવર કરેલ રકમ :

80 હજાર

બનાવનુ સ્થળ

વેજલપુર પોલીસ સ્ટેશન ની સામે, ભાગ્યોદય હોટલ આગળ જાહેરમાં, વેજલપુર,અમદાવાદ

અધિકારીઓ સામે લેવાયા પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.