Ahmedabadના ચાણકયપુરીમાં તલવારો સાથે અસામાજીક તત્વોએ ફલેટને લીધો બાનમા, CMએ લીધી નોંધ

અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા.દારૂનો નશો કર્યા બાદ ફલેટમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો જેના કારણે ફલેટમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા,સ્થાનિકોએ શખ્સને પકડતા હોબાળો મચાવ્યો હતો,હુમલો કરનાર શખ્સોએ ફલેટ ભાડે રાખ્યો હતો અને બબાલ મચાવી હતી,પોલીસ તો દોડતી સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. હુમલો કરનાર શખ્સોએ ફ્લેટ ભાડે રાખ્યો ઘાટલોડીયાના ચાણકયપુરી વિસ્તારમાં દારૂની મહેફિલ કર્યા બાદ શખ્સોએ આતંક મચાવ્યો હતો,ફલેટના કમિટી મેમ્બરોએ આ સભ્યોને રોકતા મામલો બિચકયો હતો સાથે સાથે દારૂના નશામાં શખ્સોએ બહારથી અન્ય 25થી 30 લોકોને તલાવર અને દંડા સાથે લઈને બોલાવ્યા હતા અને ત્યારબાદ આંતક વધુ મચ્યો હતો.ફલેટના સ્થાનિકોએ લોકો અંદર ઘુસે તે પહેલા જ ફલેટનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો જેના કારણે બબાલ થોડી અટકી હતી. પોલીસ મોડી પહોંચી એવો સ્થાનિકોનો આક્ષેપ ફલેટના સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યા બાદ પોલીસ 30 મિનીટ મોડી પહોંચી હતી,પોલીસ પહોંચી ત્યાં સુધીમાં બબાલ પતી ગઈ હતી અને લોકોના ટોળા પણ વિખેરી ગયા હતા,સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલાને લઈ તપાસ હાથધરી છે,પોલીસે ટોળાને કાબુમાં લઈ પોલીસ સ્ટેશન લઈ લીધા હતા.આ ઘટનામાં મોટાભાગના આરોપીઓ પોલીસની પકડ હોવાની વાત સામે આવી છે,રવિ ઠાકોર અને પરાગ ઠાકોર નામના વ્યકિત વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા તપાસના આદેશ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે,કોઈ પણ આરોપીઓને છોડવા નહી અને તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.ટોળામાં 10 વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.ફલેટમાં હાલ ભયનો માહોલ છે લોકો ઘરની બહાર નિકળતા ડરી રહ્યાં છે.પોલીસ પણ કોઈ પણ વ્યકિતને આ ગુનામાં છોડવા માંગતી નથી,સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરવામાં આવી છે.પોલીસ અધિકારીઓને મુખ્યમંત્રીએ આપી છે સૂચના.  

Ahmedabadના ચાણકયપુરીમાં તલવારો સાથે અસામાજીક તત્વોએ ફલેટને લીધો બાનમા, CMએ લીધી નોંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા.દારૂનો નશો કર્યા બાદ ફલેટમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો જેના કારણે ફલેટમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા,સ્થાનિકોએ શખ્સને પકડતા હોબાળો મચાવ્યો હતો,હુમલો કરનાર શખ્સોએ ફલેટ ભાડે રાખ્યો હતો અને બબાલ મચાવી હતી,પોલીસ તો દોડતી સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે.

હુમલો કરનાર શખ્સોએ ફ્લેટ ભાડે રાખ્યો

ઘાટલોડીયાના ચાણકયપુરી વિસ્તારમાં દારૂની મહેફિલ કર્યા બાદ શખ્સોએ આતંક મચાવ્યો હતો,ફલેટના કમિટી મેમ્બરોએ આ સભ્યોને રોકતા મામલો બિચકયો હતો સાથે સાથે દારૂના નશામાં શખ્સોએ બહારથી અન્ય 25થી 30 લોકોને તલાવર અને દંડા સાથે લઈને બોલાવ્યા હતા અને ત્યારબાદ આંતક વધુ મચ્યો હતો.ફલેટના સ્થાનિકોએ લોકો અંદર ઘુસે તે પહેલા જ ફલેટનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો જેના કારણે બબાલ થોડી અટકી હતી.


પોલીસ મોડી પહોંચી એવો સ્થાનિકોનો આક્ષેપ

ફલેટના સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યા બાદ પોલીસ 30 મિનીટ મોડી પહોંચી હતી,પોલીસ પહોંચી ત્યાં સુધીમાં બબાલ પતી ગઈ હતી અને લોકોના ટોળા પણ વિખેરી ગયા હતા,સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલાને લઈ તપાસ હાથધરી છે,પોલીસે ટોળાને કાબુમાં લઈ પોલીસ સ્ટેશન લઈ લીધા હતા.આ ઘટનામાં મોટાભાગના આરોપીઓ પોલીસની પકડ હોવાની વાત સામે આવી છે,રવિ ઠાકોર અને પરાગ ઠાકોર નામના વ્યકિત વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા તપાસના આદેશ

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે,કોઈ પણ આરોપીઓને છોડવા નહી અને તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.ટોળામાં 10 વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.ફલેટમાં હાલ ભયનો માહોલ છે લોકો ઘરની બહાર નિકળતા ડરી રહ્યાં છે.પોલીસ પણ કોઈ પણ વ્યકિતને આ ગુનામાં છોડવા માંગતી નથી,સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરવામાં આવી છે.પોલીસ અધિકારીઓને મુખ્યમંત્રીએ આપી છે સૂચના.