શહેરમાં 100 કરોડનું સોનુ-ચાંદી, 1500 જેટલી કાર અને 8000 ટુ વ્હીલર વેચાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ ધનતેરસના પર્વને સોના ચાંદીની સાથે સાથે વાહન ખરીદી માટે પણ શુભ માનવામાં આવે છે.સોના ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક વખતથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.તેમ છતા આજે ધન તેરસના દિવસે શહેરમાં જ્વેલર્સની દુકાનો અને શો રુમો પર અપેક્ષા કરતા વધારે ઘરાકી જોવા મળી હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે ઘરાકીમાં ગત વર્ષની ધનતેરસ કરતા ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો થયો હતો પણ તાજેતરના પુષ્ય નક્ષત્ર કરતા આજે ઘરાકી સારી રહી હતી.લગભગ ૧૦૦ કરોડ રુપિયાના સોના -ચાંદીનું વેચાણ થયું હતુ.
What's Your Reaction?






