શહેરમાં ત્રણ દિવસમાં ૫૦ આરોપીઓ વિરૂદ્ધ પાસા-તડીપારની કાર્યવાહી

Jun 20, 2025 - 05:00
શહેરમાં ત્રણ દિવસમાં ૫૦ આરોપીઓ વિરૂદ્ધ પાસા-તડીપારની કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

આગામી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેર પોલીસ દ્વારા અસામાજીક તત્વો વિરૂદ્ધ અટકાયતની કામગીરીની સાથે પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનુસંધાનમાં ત્રણ દિવસ દરમિયાન  ૨૦ લોકોને  તડીપાર તેમજ ૩૫ આરોપીઓ વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી ૧૦૦થી વધુ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.જ્યારે દરિયાપુર પોલીસે દેશી તમંચા જેવા હથિયારનું વેચાણ કરતી ગેંગને પણ ઝડપી લીધી છે.

આગામી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે તત્વો વિરૂદ્ધ કરવામાં આવતી કાર્યવાહીના ભાગરૂપે છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન ૫૫થી વધુ લોકો વિરૂદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0