વડોદરાવાસીઓને હાશકારો..!! વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે-ધીમે ઘટાડો નોંધાયો, આજવાના 62 ગેટ બંધ

Vadodara Vishwamitri River : વડોદરાવાસીઓને અંતે રાહત થતી હોય તેમ જણાઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ધીમો ઘટાડો આજ બપોરથી શરૂ થયો છે. આજ સવાર સુધી નદી ભયજનક સપાટી 26 ફૂટને ઓળંગી જાય તેવી સ્થિતિ હતી, પરંતુ વરસાદ થંભી ગયા બાદ હાલ ઉઘાડ છે, અને ઉપરવાસથી પાણીની આવક પણ ઓછી થઈ જતા નદીમાં પાણી ઘટવાની શરૂઆત થઈ છે. આજે સવારે 11:30 કલાકે પાણી વધુમાં વધુ 25.06 ફૂટ સુધી પહોંચ્યું હતું ત્યારબાદ પાણીનું લેવલ સ્થિર થયા બાદ ધીમો ઘટાડો શરૂ થયો છે. આજે બપોરે 2:00 વાગ્યાની આસપાસ પાણીનું લેવલ 24.93 નોંધાયું હતું. આમ પાણીના સ્તરમાં ઘટાડો થતાં તંત્રને અને ખાસ તો લોકોને હાશકારો થયો છે. હવે જો દિવસ દરમિયાન વરસાદ ન પડે તો લેવલ હજી વધું નીચે ઉતરશે અને નીચાણવાળા વિસ્તારોમાંથી ધીમે-ધીમે પાણી પણ ઉતરવા માંડશે તેમ કોર્પોરેશનના તંત્રનું માનવું છે. હાલ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતું નથી. આજવા સરોવરનું લેવલ બપોરે 213.30 ફૂટ હતું. આજવા સરોવરના 62 ગેટ હાલમાં બંધ છે.

વડોદરાવાસીઓને હાશકારો..!! વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે-ધીમે ઘટાડો નોંધાયો, આજવાના 62 ગેટ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Vishwamitri River : વડોદરાવાસીઓને અંતે રાહત થતી હોય તેમ જણાઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ધીમો ઘટાડો આજ બપોરથી શરૂ થયો છે. આજ સવાર સુધી નદી ભયજનક સપાટી 26 ફૂટને ઓળંગી જાય તેવી સ્થિતિ હતી, પરંતુ વરસાદ થંભી ગયા બાદ હાલ ઉઘાડ છે, અને ઉપરવાસથી પાણીની આવક પણ ઓછી થઈ જતા નદીમાં પાણી ઘટવાની શરૂઆત થઈ છે. આજે સવારે 11:30 કલાકે પાણી વધુમાં વધુ 25.06 ફૂટ સુધી પહોંચ્યું હતું ત્યારબાદ પાણીનું લેવલ સ્થિર થયા બાદ ધીમો ઘટાડો શરૂ થયો છે.

આજે બપોરે 2:00 વાગ્યાની આસપાસ પાણીનું લેવલ 24.93 નોંધાયું હતું. આમ પાણીના સ્તરમાં ઘટાડો થતાં તંત્રને અને ખાસ તો લોકોને હાશકારો થયો છે. હવે જો દિવસ દરમિયાન વરસાદ ન પડે તો લેવલ હજી વધું નીચે ઉતરશે અને નીચાણવાળા વિસ્તારોમાંથી ધીમે-ધીમે પાણી પણ ઉતરવા માંડશે તેમ કોર્પોરેશનના તંત્રનું માનવું છે. હાલ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતું નથી. આજવા સરોવરનું લેવલ બપોરે 213.30 ફૂટ હતું. આજવા સરોવરના 62 ગેટ હાલમાં બંધ છે.