ભાજપના આગેવાનોના ઇશારે રહિશો સામે પોલીસે ફરિયાદ નોંધાવ્યાનો આક્ષેપ

Jul 4, 2025 - 09:30
ભાજપના આગેવાનોના ઇશારે રહિશો સામે પોલીસે ફરિયાદ નોંધાવ્યાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


નિષ્પક્ષ તપાસ કરી ફરિયાદ રદ્દ કરવાની માંગ

મુળચંદ રોડ પરના રહિશો અને સામાજીક આગેવાનોએ પ્રાથમિક સુવિધા મામલે સોમવારે ચક્કાજામ કર્યો હતા

સુરેન્દ્રનગર - વઢવાણ મુળચંદ રોડ પર આવેલ કેસરીયા બાલમ પાછળના રહેણાંક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનીક રહીશો અને મહિલાઓએ થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર ચક્કાજામ કર્યો હતો જે મામલે પોલીસે સામાજીક કાર્યકર સહિત ચક્કાજામ કરનાર મહિલાઓ સહિતનાઓ સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી હતી જે મામલે જનસ્વરાજ ગૃપના હોદ્દેદારો સહિત યુવાનો દ્વારા જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર મનપા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં વઢવાણ મુળચંદ રોડ પર આવેલા કેસરીયા બાલમ પાછળના વિસ્તારમાં રહેતા પરિવારોને રોડ, રસ્તા, ગટર, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ જતાં ગત તા.૩૦ જુનના રોજ સ્થાનિક રહિશો અને મહિલાઓએ સુરેન્દ્રનગર અને વઢવાણ રોડ પર પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ચક્કાજામ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0