ડભોઈ-કરજણ પેસેન્જર ટ્રેન તાત્કાલિક શરૃ કરવા માગણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,વડોદરા રેલ વિભાગીય મંડળમાં રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની મળેલી બેઠકમાં ડભોઈ-કરજણ પેસેન્જર ટ્રેન તાત્કાલિક શરૃ કરવા રજૂઆત કરાઈ હતી.
ડભોઈથી કરજણ પહેલાં નેરો ગેજ લાઈન હતી, તેની બ્રોડગેજમાં રૃપાંતરિત કરી દેવામાં આવી છે અને હાલ તે તૈયાર છે, તેની ટ્રાયલ પણ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી તેના પર પેસેન્જર ટ્રેન શરૃ કરવામાં આવી નથી.
આ માર્ગ પર પેસેન્જર ટ્રેન શરૃ થવાથી મુસાફરોને ફાયદો થશે, કેમકે હાલમાં મુસાફરોને પ્રાઈવેટ વાહનથી મુસાફરી કરવી પડે છે. પેસેન્જર ટ્રેન શરૃ થાય તો ડભોઈ અને કરજણના ધંધા અને રોજગારને પણ ફાયદો થઈ શકે તેમ છે.
What's Your Reaction?






