જેતલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાંથી ટ્રેક્ટરમાં દર્દીને અન્યત્ર સ્થળે ખસેડવામાં આવ્યા

Image Source: Freepikવડોદરામાં બે દિવસથી સતત વરસતા વરસાદના કારણે તથા આજવા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના લીધે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે પૂરના કારણે નદીની આસપાસના વિસ્તારોમાં છ થી સાત ફૂટ પાણી ભરાયા છે. ગઈકાલે રાત્રે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હોવા છતાં વિશ્વામિત્રી નદીની સપાટી નીચે આવી નથી હજી પણ વિશ્વામિત્રી 35 ફૂટની ઉપર વહી રહી છે જેના કારણે નદીની આસપાસના વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાંથી દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે. આજે જેતલપુર વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાંથી દર્દીઓને ટ્રેક્ટર મારફતે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. સયાજી હોસ્પિટલમાં પણ પૂરના કારણે હજી પીએમ વિભાગમાં પાણી ભરાયેલા છે તેમજ અન્ય બોર્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે.

જેતલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાંથી ટ્રેક્ટરમાં દર્દીને અન્યત્ર સ્થળે ખસેડવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image Source: Freepik

વડોદરામાં બે દિવસથી સતત વરસતા વરસાદના કારણે તથા આજવા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના લીધે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે પૂરના કારણે નદીની આસપાસના વિસ્તારોમાં છ થી સાત ફૂટ પાણી ભરાયા છે. ગઈકાલે રાત્રે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હોવા છતાં વિશ્વામિત્રી નદીની સપાટી નીચે આવી નથી હજી પણ વિશ્વામિત્રી 35 ફૂટની ઉપર વહી રહી છે જેના કારણે નદીની આસપાસના વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાંથી દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે. આજે જેતલપુર વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાંથી દર્દીઓને ટ્રેક્ટર મારફતે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. સયાજી હોસ્પિટલમાં પણ પૂરના કારણે હજી પીએમ વિભાગમાં પાણી ભરાયેલા છે તેમજ અન્ય બોર્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે.