જામનગરમાં શિવધામ રેસીડેન્સી નજીકના વિસ્તારમાં લોખંડના સળિયા ઉતારી રહેલા અજાણ્યા શ્રમિક યુવાનનું વીજ આંચકા થી કરુણ મૃત્યુ

Oct 12, 2025 - 16:30
જામનગરમાં શિવધામ રેસીડેન્સી નજીકના વિસ્તારમાં લોખંડના સળિયા ઉતારી રહેલા અજાણ્યા શ્રમિક યુવાનનું વીજ આંચકા થી કરુણ મૃત્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગરના સમર્પણ સર્કલ નજીક શિવધામ રેસીડેન્સી પાસે એક બાંધકામના સ્થળે ટ્રકમાંથી લોખંડના સળિયા ઉતારતી વેળાએ ઉપરથી પસાર થઈ રહેલી 66 કેવીની વિજ લાઈનમાંથી એક અજાણ્યા શ્રમિક યુવાનને વીજ આંચકો લાગી જતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. તે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે  જામનગરમાં સરદાર આવાસ માં રહેતા અને ટીએમટી લોખંડના સળિયા નું ગોડાઉન ધરાવતા વિપુલભાઈ મોહનભાઈ વસોયા નામના પટેલ વેપારી દ્વારા સમર્પણ સર્કલ નજીક શિવધારા રેસીડેન્સી પાસે એક બાંધકામના સ્થળે  ગઈકાલે ટ્રકમાંથી લોખંડના સળિયા ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ચાર શ્રમિકો લોખંડના સળિયા ઉતારવાનું કામ કરી રહ્યા હતા.

જે દરમિયાન દરેડ વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કામ કરતો ૩૫ વર્ષની વયનો એક અજાણ્યો પુરુષ ત્યાં મજૂરી કામ કરવા આવ્યો હતો, અને ટ્રકમાંથી લોખંડના સળિયા ઉતારી રહ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0