ગોધરામાં મોટી દુર્ઘટના ટળી: 25 હજાર KV રેલવે વીજ કેબલ તૂટ્યો, ગ્રામજનોએ જીવના જોખમે ટ્રેન પાયલટને કર્યા એલર્ટ

Oct 14, 2025 - 23:30
ગોધરામાં મોટી દુર્ઘટના ટળી: 25 હજાર KV રેલવે વીજ કેબલ તૂટ્યો, ગ્રામજનોએ જીવના જોખમે ટ્રેન પાયલટને કર્યા એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Godhra News: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આજે એક મોટી દુર્ઘટના ટળતા હાશકારો થયો છે. ગોધરા તાલુકાના પંડિયા પુરા ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે 25 હજાર કે.વીનો હાઈ ટેન્શન રેલવે વીજ કેબલ તૂટવાની ગંભીર ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ ઉદલપુર નજીક આવેલી ભગીરથ માઇન્સમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટના કારણે પથ્થરો ઉછળીને સીધા રેલવેના હાઈ ટેન્શન કેબલ ઉપર પડ્યા હતા, જેના પરિણામે 25 હજાર કેવી જીવંત વીજ પ્રવાહવાળી લાઇનનો વાયર તૂટીને નીચે પડ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0