ગુજરાતમાં આ બે સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ: MPમાં બાળકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ

Oct 7, 2025 - 16:30
ગુજરાતમાં આ બે સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ: MPમાં બાળકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Cough Syrup Case: મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકોનાં મોત થવાનો ગંભીર મામલો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મધ્ય પ્રદેશના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે આ પાછળનું કારણ ગુજરાતમાં બનેલી બે કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલ (DEG)નું પ્રમાણ મર્યાદા કરતા અનેકગણું વધારે હોવાનું છે.

ગુજરાત સરકાર એક્શનમાં, કફ સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ

આ રિપોર્ટ બાદ ગુજરાત સરકાર તાત્કાલિક એક્શનમાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ બંને કફ સિરપનો જેટલો પણ જથ્થો ગુજરાતના બજારમાં ઉપલબ્ધ છે, તે તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0