ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો

Oct 10, 2025 - 04:30
ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bahial Demolition Case: ગાંધીનગર જીલ્લાના બહિયલ ગામમાં જાહેર માર્ગ પર અતિક્રમણ દૂર કરવાના ભાગરૂપે 8 દુકાનો પર પ્રસ્તાવિત ડિમોલિશનને 16મી ઓક્ટોબર, 2025 સુધી યથાવત સ્થિતિમાં રાખવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે.

હાઈકોર્ટે આઠ દુકાનદારોને (અરજદારોને)  તેમના દાવાઓને સમર્થન આપતા દસ્તાવેજો રજૂ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે, જોકે કોર્ટે સાથે ચેતવણી પણ આપી છે, કે જો 16મી ઓક્ટોબર સુધીમાં અરજદારો યોગ્ય પુરાવા કે દસ્તાવેજ પૂરા નહિ પાડે, તો અધિકારીઓ ડિમોલિશનની કાર્યવાહી કરી શકશે.

અરજદાર 8 દુકાનદારો તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ઓક્ટોબરના રોજ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરો દ્વારા જારી કરાયેલી નોટિસને પડકારવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે 6 ઓક્ટોબરના રોજ પાઠવવામાં આવેલી નોટિસમાં તેમને કથિત અતિક્રમણ દૂર કરવા માટે માત્ર બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0