અમદાવાદ: નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, શ્રમિકોમાં ભારે અફરાતફરી

Jun 13, 2026 - 19:30
અમદાવાદ: નારોલ-ઈસનપુર રોડ પર  કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, શ્રમિકોમાં ભારે અફરાતફરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News: અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર આવેલા બાલાજી સ્ટેટમાં આજે શનિવારે બપોરે એક કેમિકલ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બપોરે આશરે 12:56 વાગ્યે ગોડાઉન નંબર 55માં આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગ લાગવાના કારણે કેમિકલના ગોડાઉનમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા, જેને પગલે આસપાસના ઔદ્યોગિક એકમો અને ત્યાં કામ કરતા શ્રમિકોમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.

પાણીનો મારો ચલાવી કૂલિંગ ઓપરેશન 

આગની ઘટના અંગેની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0