સાસરિયાએ દહેજની માંગણી કરતા ગોધરાની મહિલાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ ખાતે રહેતા ૧ લાખ લઇ આવવાનું કહી મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો : પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ગુનોગોધરા: ગોધરા શહેરના સિગ્નલ ફળીયા વિસ્તારમાં આવેલી એક મસ્જિદ પાસે રહેતા પરિણીતાએ ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તેઓના લગ્ન અમદાવાદ શહેરના પરમાનંદ પટેલની ચાલી સામે રહેતા શાહરૂખ શોકતઅલી શેખ સાથે થયા સને ૨૦૨૨માં થયા હતા.લગ્ન કર્યાના ૧ વર્ષ બાદ પતિ,સાસુ મુન્ની શોકતઅલી શેખ,સસરા શોકતલી શેખ અને નણંદ મુસ્કાન શોકતઅલી શેખ ઘરના કામકાજ બાબતે પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેથી પરિણીતા પોતાના પતિને કહેવા જતાં પતિ જણાવતો હતો કે મારા માતાપિતા અને બહેનો કહેશે, તેમ તારે કરવું પડશે,મારો ધંધો ચાલતો નથી,અને તારા પિતાના ઘરેથી દહેજમાં કંઈ આપ્યું નથી,તો તું તારા પિતાના ઘરેથી દહેજમાં રૂ.૧  લાખ રૂપિયા લઈ આવ, જ્યારે પરિણીતાને તેના સાસરિયાઓ ઘરની બહાર નીકળવા દેતા ન હતા.તેમજ પોતાના માતા સાથે પણ વાત કરવા દેતા ન હતા.બીજી તરફ થોડા દિવસ અગાઉ પરિણીતાના પતિ અને સસરા અંદરોઅંદર ઝઘડતા હતા. જેથી અન્ય નણંદ સિમરન શોકતઅલી શેખે પરિણીતાને જણાવ્યું હતું કે તારા લીધે ઘરમાં ઝઘડા થાય છે, તું ઘરમાંથી નીકળી જા,તેમ કહીને ધક્કો મારી દેતા પરિણીતા પગ પર દાઝી ગઈ હતી.જેને લઇ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ પરિણીતાની માતા અમદાવાદ ખાતે પોતાની દીકરીના ખબર અંતર અમદાવાદ ખાતે ગયા હતા. જ્યાં પોતાની દીકરીને જણાવ્યું હતું કે તું આવી કેમ થઈ ગઈ છે, જેને લઇ પરિણીતાએ તમામ હકીકતો પોતાની માતાને કહેતા બંને નણંદો અપશબ્દો બોલવા લાગી હતી, અને પરિણીતા સાથે મારામારી કરવા લાગ્યા હતા, જેથી પરિણીતાના માતાએ જણાવ્યું હતું કે,તમે લોકો મારી દીકરીને મારા દેખતા મારો છો,તો મારી ગેરહાજરીમાં તમે શું નહિ કરતા હોવ, તેમ કહેતા પરિણીતાના સાસુ અને સસરા અપશબ્દો બોલવા લાગ્યા હતા, જેથી પરિણીતાની માતા પોતાની દીકરીને લઇ આવતા હતા.તે સમયે પતિએ જણાવ્યું હતુંકે તું તારી માતાની વાત સાંભળીને પિયરમાં જાય છે,પણ હું તને ઘરમાં નહિ આવવા દઉં,આમ અપશબ્દો બોલીને મારઝૂડ કરી દહેજની માંગણી કરતા તમામ સાસરિયાઓ સામે તા ૨ ઓકટોબર બપોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. 

સાસરિયાએ દહેજની માંગણી કરતા ગોધરાની મહિલાએ ફરિયાદ નોંધાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અમદાવાદ ખાતે રહેતા 

૧ લાખ લઇ આવવાનું કહી મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો : પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ગુનો

ગોધરા: ગોધરા શહેરના સિગ્નલ ફળીયા વિસ્તારમાં આવેલી એક મસ્જિદ પાસે રહેતા પરિણીતાએ ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તેઓના લગ્ન અમદાવાદ શહેરના પરમાનંદ પટેલની ચાલી સામે રહેતા શાહરૂખ શોકતઅલી શેખ સાથે થયા સને ૨૦૨૨માં થયા હતા.લગ્ન કર્યાના ૧ વર્ષ બાદ પતિ,સાસુ મુન્ની શોકતઅલી શેખ,સસરા શોકતલી શેખ અને નણંદ મુસ્કાન શોકતઅલી શેખ ઘરના કામકાજ બાબતે પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેથી પરિણીતા પોતાના પતિને કહેવા જતાં પતિ જણાવતો હતો કે મારા માતાપિતા અને બહેનો કહેશે, તેમ તારે કરવું પડશે,મારો ધંધો ચાલતો નથી,અને તારા પિતાના ઘરેથી દહેજમાં કંઈ આપ્યું નથી,તો તું તારા પિતાના ઘરેથી દહેજમાં રૂ.૧  લાખ રૂપિયા લઈ આવ, જ્યારે પરિણીતાને તેના સાસરિયાઓ ઘરની બહાર નીકળવા દેતા ન હતા.તેમજ પોતાના માતા સાથે પણ વાત કરવા દેતા ન હતા.બીજી તરફ થોડા દિવસ અગાઉ પરિણીતાના પતિ અને સસરા અંદરોઅંદર ઝઘડતા હતા. જેથી અન્ય નણંદ સિમરન શોકતઅલી શેખે પરિણીતાને જણાવ્યું હતું કે તારા લીધે ઘરમાં ઝઘડા થાય છે, તું ઘરમાંથી નીકળી જા,તેમ કહીને ધક્કો મારી દેતા પરિણીતા પગ પર દાઝી ગઈ હતી.જેને લઇ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ પરિણીતાની માતા અમદાવાદ ખાતે પોતાની દીકરીના ખબર અંતર અમદાવાદ ખાતે ગયા હતા. જ્યાં પોતાની દીકરીને જણાવ્યું હતું કે તું આવી કેમ થઈ ગઈ છે, જેને લઇ પરિણીતાએ તમામ હકીકતો પોતાની માતાને કહેતા બંને નણંદો અપશબ્દો બોલવા લાગી હતી, અને પરિણીતા સાથે મારામારી કરવા લાગ્યા હતા, જેથી પરિણીતાના માતાએ જણાવ્યું હતું કે,તમે લોકો મારી દીકરીને મારા દેખતા મારો છો,તો મારી ગેરહાજરીમાં તમે શું નહિ કરતા હોવ, તેમ કહેતા પરિણીતાના સાસુ અને સસરા અપશબ્દો બોલવા લાગ્યા હતા, જેથી પરિણીતાની માતા પોતાની દીકરીને લઇ આવતા હતા.તે સમયે પતિએ જણાવ્યું હતુંકે તું તારી માતાની વાત સાંભળીને પિયરમાં જાય છે,પણ હું તને ઘરમાં નહિ આવવા દઉં,આમ અપશબ્દો બોલીને મારઝૂડ કરી દહેજની માંગણી કરતા તમામ સાસરિયાઓ સામે તા ૨ ઓકટોબર બપોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.