સરદાર સરોવર ડેમ મહત્તમ સપાટીથી 6 સેન્ટીમીટર દૂર, વધામણાં કરવાની તૈયારીઓ પૂરજોશમાં

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરે પહોંચી ગઈ છે અને હવે ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 6 સેન્ટીમીટર જ દૂર છે. ત્યારે આવતીકાલે માં નર્મદાના વધામણાં કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે.7 વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવી રહ્યો છે તમને જણાવી દઈએ કે સરદાર સરોવર નર્મદા ડેમનું સંપૂર્ણ કામ 2017માં પૂર્ણ થયુ હતું, ત્યારે 16 સપ્ટેમ્બર 2017એ ભરાયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવીને નર્મદાનું પૂજન કર્યું હતું અને 7 વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવી રહ્યો છે અને ચાલુ વર્ષે 2024માં પણ 1 ઓક્ટોબરે 2024એ ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે. ડેમની જળ સપાટી આ વર્ષે કાચબા ગતિએ આગળ વધી ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આ વખતે કાચબા ગતિ આગળ વધી રહી છે કારણ કે ગત વર્ષે વહેલું પાણી છોડ્યું હતું, જેના કારણે સ્થિતિ બહુ ખરાબ થઈ હતી, ત્યારે આ વખતે સરદાર સરોવર નર્મદા ડેમના મેનેજમેન્ટ દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે અને હાલ તબક્કા વાર ડેમમાંથી પાણી છોડાતા ચાલુ વર્ષે કોઈ નુકશાન થયું નથી. હવે માત્ર 6 સેન્ટીમીટર ડેમ ખાલી સરદાર સરોવર નર્મદા ડેમ 138.61 મીટર પર છે, આજે પાણીની આવક 81,508 ક્યુસેક થઈ છે અને ડેમના એક દરવાજાના 3 ગેટ 1.30 મીટર ખોલીને 80,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે અને ડેમની જળ સપાટી આજે 138.61 મીટરે પહોંચતા હવે માત્ર 6 સેન્ટીમીટર ડેમ ખાલી રહ્યો છે, ત્યારે સીઝનમાં આ વખતે સંપૂર્ણ ડેમ 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતીકાલે ભરાઈ જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણાં કરવા આવી રહ્યા છે ત્યારે સંપૂર્ણ ડેમ ભરાઈ જાય તેને લઈને આ વખતે પણ એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આવતીકાલે 10.30 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણાં કરવા આવી રહ્યા છે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદાના વધામણાંના બેનરો પણ લાગી ગયા છે, કેવડિયાના બ્રાહ્મણો દ્વારા વિધિ સાથે માં નર્મદાના વધામણાં કરાશે. જોકે આ વધામણાં બાદ નર્મદા ડેમના 10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે, જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સરદાર સરોવર ડેમ મહત્તમ સપાટીથી 6 સેન્ટીમીટર દૂર, વધામણાં કરવાની તૈયારીઓ પૂરજોશમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરે પહોંચી ગઈ છે અને હવે ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 6 સેન્ટીમીટર જ દૂર છે. ત્યારે આવતીકાલે માં નર્મદાના વધામણાં કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે.

7 વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવી રહ્યો છે

તમને જણાવી દઈએ કે સરદાર સરોવર નર્મદા ડેમનું સંપૂર્ણ કામ 2017માં પૂર્ણ થયુ હતું, ત્યારે 16 સપ્ટેમ્બર 2017એ ભરાયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવીને નર્મદાનું પૂજન કર્યું હતું અને 7 વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવી રહ્યો છે અને ચાલુ વર્ષે 2024માં પણ 1 ઓક્ટોબરે 2024એ ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે.

ડેમની જળ સપાટી આ વર્ષે કાચબા ગતિએ આગળ વધી

ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આ વખતે કાચબા ગતિ આગળ વધી રહી છે કારણ કે ગત વર્ષે વહેલું પાણી છોડ્યું હતું, જેના કારણે સ્થિતિ બહુ ખરાબ થઈ હતી, ત્યારે આ વખતે સરદાર સરોવર નર્મદા ડેમના મેનેજમેન્ટ દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે અને હાલ તબક્કા વાર ડેમમાંથી પાણી છોડાતા ચાલુ વર્ષે કોઈ નુકશાન થયું નથી.

હવે માત્ર 6 સેન્ટીમીટર ડેમ ખાલી

સરદાર સરોવર નર્મદા ડેમ 138.61 મીટર પર છે, આજે પાણીની આવક 81,508 ક્યુસેક થઈ છે અને ડેમના એક દરવાજાના 3 ગેટ 1.30 મીટર ખોલીને 80,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે અને ડેમની જળ સપાટી આજે 138.61 મીટરે પહોંચતા હવે માત્ર 6 સેન્ટીમીટર ડેમ ખાલી રહ્યો છે, ત્યારે સીઝનમાં આ વખતે સંપૂર્ણ ડેમ 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતીકાલે ભરાઈ જશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણાં કરવા આવી રહ્યા છે

ત્યારે સંપૂર્ણ ડેમ ભરાઈ જાય તેને લઈને આ વખતે પણ એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આવતીકાલે 10.30 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણાં કરવા આવી રહ્યા છે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદાના વધામણાંના બેનરો પણ લાગી ગયા છે, કેવડિયાના બ્રાહ્મણો દ્વારા વિધિ સાથે માં નર્મદાના વધામણાં કરાશે. જોકે આ વધામણાં બાદ નર્મદા ડેમના 10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે, જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.