બોટાદનો રેલવે અંડરબ્રિજ બન્યો 'સ્વિમિંગ પુલ,' વગર વરસાદે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોનો અનોખો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Botad News : બોટાદ શહેરમાં સાળંગપુર રોડ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાથી કંટાળીને રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી અને તેમના કાર્યકરોએ અંડરબ્રિજમાં જ સ્નાન કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ રેલવે અંડરબ્રિજ બોટાદ શહેરનો એક મુખ્ય માર્ગ છે, જે સાળંગપુર અને અમદાવાદ તરફ જાય છે. આ ઉપરાંત, અહીંથી અનેક સરકારી કચેરીઓ પણ નજીક હોવાથી આ રસ્તો ખૂબ વ્યસ્ત રહે છે.
What's Your Reaction?






