Viramgam: શહેરના બે મંદિરમાં ચોરી કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિરમગામ શહેરના ભરવાડી દરવાજા બહારથી પોલીસે મંગળવારે બાતમી આધારે વિરમગામમા ઘાંચાની લાટી વિસ્તારમાં રહેતા રાહુલ ઉર્ફે ભોજીયો ઠાકોર નામના છવિસ ઉંમર ધરાવતા યુવાનને ચાંદીનો એક મુકટ અને એક છતર સાથે દબોચી તપાસ શરૂ કરી હતી.
પોલીસે રાહુલને લાલ આંખ બતાવતાજ એક મહિના પહેલા ભોજવા વિસ્તાર સીમમા આવેલા પ્રસિધ્ધ શિંગળાથળ હનુમાનજી મહારાજ મંદિર માંથી ચાંદીનો મુકટ તેમજ ભોજવા ગામના તળાવ કિનારે સ્મશાન ગૃહ નજીક આવેલા વિહત માતાજીના મંદિર માંથી માતાજીનું છતર રાત્રી સમયમાં ચોરી કર્યાનો પર્દાફશ થયો હતો.જેથી પોલીસે 6.75 ગ્રામ ચાંદીનો મુકટ અને સો ગ્રામ ચાંદીનું છતર કુલ 29000 કિંમતનો મુદ્દામાલ કબજે કરી રાહુલ ઉર્ફે ભોજીયા ઠાકોર સામે કાર્યવાહી હાથ ધરી હતી.રાહુલ ઠાકોર વિરુદ્ધમાં શહેર પોલીસ મથકમાં પાંચ ગુના નોંધાયેલા હોવાનુ પણ પોલીસ દ્વારા માહિતી જાણવા મળી છે.
What's Your Reaction?






