Surendranagar: ધાંધલપુરમાં PGVCLના કર્મી પર લોખંડની પાઈપ વડે હુમલો

સાયલા તાલુકાના ધાંધલપુર ગામે રહેતા 39 વર્ષીય જેઠાભાઈ મુળાભાઈ જમોડ પીજીવીસીએલ સાયલામાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે.સોખડાના અશોક જેસીંગભાઈ શેખની વાડીએ ટીસીનો વીજ પોલ પડી ગયો હતો.આથી તેઓએ જેઠાભાઈને વીજપોલ રિપેરીંગ કરવા કહ્યુ હતુ. જેમાં જેઠાભાઈએ હાલ કામ હોઈ બે દિવસ બાદ રિપેરીંગ કરી આપીશ તેમ કહ્યુ હતુ. આ વાતની દાઝ રાખી તા. 8મીએ બપોરે જેઠાભાઈ બાઈક લઈને સુદામડા રોડ પરથી પસાર થતા હતા, ત્યારે અશોક શેખે લોખંડના પાઈપ વડે માર મારી જેઠાભાઈને ઈજા પહોંચાડી હતી. જેમાં તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી બી.જે.જીડીયા ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અનેક વખત ગામડાઓમાં કોઈકના કોઈક મુદ્દે મીટર બાબતે અથવા વીજ ચોરી મુદ્દે, નજીવી બાબતે પણ વીજ કર્મીઓ પર હુમલાઓ થતા અનેક ફરિયાદો ચોપડે નોંધાયેલી છે.

Surendranagar: ધાંધલપુરમાં PGVCLના કર્મી પર લોખંડની પાઈપ વડે હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયલા તાલુકાના ધાંધલપુર ગામે રહેતા 39 વર્ષીય જેઠાભાઈ મુળાભાઈ જમોડ પીજીવીસીએલ સાયલામાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે.સોખડાના અશોક જેસીંગભાઈ શેખની વાડીએ ટીસીનો વીજ પોલ પડી ગયો હતો.

આથી તેઓએ જેઠાભાઈને વીજપોલ રિપેરીંગ કરવા કહ્યુ હતુ. જેમાં જેઠાભાઈએ હાલ કામ હોઈ બે દિવસ બાદ રિપેરીંગ કરી આપીશ તેમ કહ્યુ હતુ. આ વાતની દાઝ રાખી તા. 8મીએ બપોરે જેઠાભાઈ બાઈક લઈને સુદામડા રોડ પરથી પસાર થતા હતા, ત્યારે અશોક શેખે લોખંડના પાઈપ વડે માર મારી જેઠાભાઈને ઈજા પહોંચાડી હતી. જેમાં તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી બી.જે.જીડીયા ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અનેક વખત ગામડાઓમાં કોઈકના કોઈક મુદ્દે મીટર બાબતે અથવા વીજ ચોરી મુદ્દે, નજીવી બાબતે પણ વીજ કર્મીઓ પર હુમલાઓ થતા અનેક ફરિયાદો ચોપડે નોંધાયેલી છે.