Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસને દિવ્ય શણગાર કરાયો

શ્રાવણ માસના છેલ્લા દિવસે દાદાને કરાયો દિવ્ય શણગાર 6 સંતોએ ભેગા મળીને કર્યો દાદાનો શણગાર ભકતોએ હરિ મંદિરમાં પણ કર્યા હિંડોળાના દર્શન સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત- સોમવાર નિમિત્તે આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારના વાઘા રાજકોટમાં થયા તૈયાર દાદાને મંગળ આરતી સવારે 05:45 કલાકે કરાઈ હતી.શણગાર આરતી પૂજારી સ્વામી -અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસને શણગાર કરાયો છે. ભક્તોએ ચાર દિવસની મહેનતે આ શણાગર બનાવ્યો છે. વાઘા ચાર દિવસની મહેનતે રાજકોટમાં બન્યા છે. 6 સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં. દાદાને થાય છે વિવિધ શણગાર શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો,દાદાને અલગ-અલગ વારે અલગ-અલગ શણગાર કરવામાં આવે છે,31 ઓગસ્ટના રોજ દાદાને વિવિધ રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો,તો 29 ઓગસ્ટના રોજ દાદાને આલ્કોહલ વગરના અત્તર અને પરફયુમનો શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું છે.

Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસને દિવ્ય શણગાર કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શ્રાવણ માસના છેલ્લા દિવસે દાદાને કરાયો દિવ્ય શણગાર
  • 6 સંતોએ ભેગા મળીને કર્યો દાદાનો શણગાર
  • ભકતોએ હરિ મંદિરમાં પણ કર્યા હિંડોળાના દર્શન

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત- સોમવાર નિમિત્તે આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

દાદાના શણગારના વાઘા રાજકોટમાં થયા તૈયાર

દાદાને મંગળ આરતી સવારે 05:45 કલાકે કરાઈ હતી.શણગાર આરતી પૂજારી સ્વામી -અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસને શણગાર કરાયો છે. ભક્તોએ ચાર દિવસની મહેનતે આ શણાગર બનાવ્યો છે. વાઘા ચાર દિવસની મહેનતે રાજકોટમાં બન્યા છે. 6 સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં.


દાદાને થાય છે વિવિધ શણગાર

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો,દાદાને અલગ-અલગ વારે અલગ-અલગ શણગાર કરવામાં આવે છે,31 ઓગસ્ટના રોજ દાદાને વિવિધ રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો,તો 29 ઓગસ્ટના રોજ દાદાને આલ્કોહલ વગરના અત્તર અને પરફયુમનો શણગાર કરવામાં આવ્યો હતો.

સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું છે.