Gujarat સરકાર ટુંક સમયમાં અતિવૃષ્ટિને લઈ જાહેર કરશે પેકેજ...આ તારીખે સહાય ચૂકવાશે

આ વર્ષે ગુજરાતભરમાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસતા ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર અતિવૃષ્ટિને લઈ રાહત પેકેજની જાહેરાત કરશે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે અને પાકની નુકસાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને સરકારની સહાયના નામે ફદિયું પણ મળી શક્યું નથી. દિવાળીના તહેવારો માથા પર છે ત્યારે કૃષિ વિભાગ દ્વારા સર્વેમાં ખુબ મોડું કરાયું હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં હવે અતિવૃષ્ટિમાં થયેલા પાક નુકસાનની સહાય ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચૂકવાશે. રાજ્ય સરકાર અતિવૃષ્ટિમાં થયેલા પાક નુકશાનીની સહાયની જાહેરાત કરશે. દિવાળી પહેલા જ રાજ્ય સરકાર પેકેજની જાહેરાત કરી શકે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર, ઓક્ટોબર માં પડેલા ભારે વરસાદથી થયેલા નુકશાનીમાં સહાય સૂચકવશે તેવા રાજ્ય સરકાર પાસે સંકેત મળી રહ્યા છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને હૈયાધારણા આપી હતી. રાઘવજી પટેલના નિવેદનથી લાગી રહ્યું છે કે, રાજ્યના ખેડૂતોના ટુંક સમયમાં વળતર ચૂકવવામાં આવી શકે છે. હિંમતનગરના નવા રાજપુર ખાતે હોસ્ટેલ ભવનના લોકાર્પણ સહિતના કાર્યક્રમ સમયે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, વિધાનસભા વખતે જ 350 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી. અતિવૃષ્ટિથી જુલાઈ અંતમાં નુકસાન થયું હતું તેની ચૂકવણીનું કામ ચાલું છે. ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતીના પાકને અને ખેતીની જમીનના ધોવાણને નુકસાન થયું હતું તેના માટે સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સરકાર ટુંક સમયમાં સહાયની જાહેરાત કરશે. આ તમામ સર્વે કરીને ચૂકવણી કરવાની હોય છે. આવડા મોટા રાજ્યમાં સર્વેની કામગીરી કરવી એ વિકટ કામ છે. અઠવાડિયા સુધી વરસતા વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયેલા હતા. એટલે સર્વે થોડો મોડો થયો છે. જેના પરિણામ હવે ટુંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે.

Gujarat સરકાર ટુંક સમયમાં અતિવૃષ્ટિને લઈ જાહેર કરશે પેકેજ...આ તારીખે સહાય ચૂકવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આ વર્ષે ગુજરાતભરમાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસતા ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર અતિવૃષ્ટિને લઈ રાહત પેકેજની જાહેરાત કરશે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે અને પાકની નુકસાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને સરકારની સહાયના નામે ફદિયું પણ મળી શક્યું નથી. દિવાળીના તહેવારો માથા પર છે ત્યારે કૃષિ વિભાગ દ્વારા સર્વેમાં ખુબ મોડું કરાયું હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં હવે અતિવૃષ્ટિમાં થયેલા પાક નુકસાનની સહાય ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચૂકવાશે.

રાજ્ય સરકાર અતિવૃષ્ટિમાં થયેલા પાક નુકશાનીની સહાયની જાહેરાત કરશે. દિવાળી પહેલા જ રાજ્ય સરકાર પેકેજની જાહેરાત કરી શકે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર, ઓક્ટોબર માં પડેલા ભારે વરસાદથી થયેલા નુકશાનીમાં સહાય સૂચકવશે તેવા રાજ્ય સરકાર પાસે સંકેત મળી રહ્યા છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને હૈયાધારણા આપી હતી. રાઘવજી પટેલના નિવેદનથી લાગી રહ્યું છે કે, રાજ્યના ખેડૂતોના ટુંક સમયમાં વળતર ચૂકવવામાં આવી શકે છે. 

હિંમતનગરના નવા રાજપુર ખાતે હોસ્ટેલ ભવનના લોકાર્પણ સહિતના કાર્યક્રમ સમયે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, વિધાનસભા વખતે જ 350 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી. અતિવૃષ્ટિથી જુલાઈ અંતમાં નુકસાન થયું હતું તેની ચૂકવણીનું કામ ચાલું છે. ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતીના પાકને અને ખેતીની જમીનના ધોવાણને નુકસાન થયું હતું તેના માટે સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સરકાર ટુંક સમયમાં સહાયની જાહેરાત કરશે. આ તમામ સર્વે કરીને ચૂકવણી કરવાની હોય છે. આવડા મોટા રાજ્યમાં સર્વેની કામગીરી કરવી એ વિકટ કામ છે. અઠવાડિયા સુધી વરસતા વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયેલા હતા. એટલે સર્વે થોડો મોડો થયો છે. જેના પરિણામ હવે ટુંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે.