Gujaratમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો, 10 દિવસમાં ડેન્ગયુના 2650થી વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે.10 દિવસમાં ડેન્ગયુના 2650થી વધુ કેસ નોંધાયા છે.મેલેરિયાના 2150 કેસ, ચિકનગુનિયાના 286 કેસ નોંધાયા છે.10 દિવસમાં ડેન્ગ્યુથી 2 દર્દીઓના મોત પણ થયાની વાત સામે આવી છે.મેલેરિયા માટે રાજ્યના 22 જિલ્લા જોખમી છે.સતત વધી રહેલા કેસોથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. મેલેરિયાના કેસો પણ વધ્યા ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે,રાજયામાં વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યામાંથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે.હાલ ગુજરાતમાં ડેન્ગયુની સાથે મેલેરિયાના કેસો પણ વધુ જોવા મળે છે.સામાન્ય દિવસો કરતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની લાઈન વધુ જોવા મળે છે.સમય પ્રમાણે દવાનો છંટકાવ તેમજ ફોગીંગ કામગીરી થવી જરૂરી બની છે,જો સરખી કામગીરી આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં નહી આવે તો અગામી સમયમાં પણ રોગચાળો વધુ વકરે તેવી શકયતાઓ છે. ડેન્ગયુ એટલે શું ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

Gujaratમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો, 10 દિવસમાં ડેન્ગયુના 2650થી વધુ કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે.10 દિવસમાં ડેન્ગયુના 2650થી વધુ કેસ નોંધાયા છે.મેલેરિયાના 2150 કેસ, ચિકનગુનિયાના 286 કેસ નોંધાયા છે.10 દિવસમાં ડેન્ગ્યુથી 2 દર્દીઓના મોત પણ થયાની વાત સામે આવી છે.મેલેરિયા માટે રાજ્યના 22 જિલ્લા જોખમી છે.સતત વધી રહેલા કેસોથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

મેલેરિયાના કેસો પણ વધ્યા

ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે,રાજયામાં વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યામાંથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે.હાલ ગુજરાતમાં ડેન્ગયુની સાથે મેલેરિયાના કેસો પણ વધુ જોવા મળે છે.સામાન્ય દિવસો કરતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની લાઈન વધુ જોવા મળે છે.સમય પ્રમાણે દવાનો છંટકાવ તેમજ ફોગીંગ કામગીરી થવી જરૂરી બની છે,જો સરખી કામગીરી આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં નહી આવે તો અગામી સમયમાં પણ રોગચાળો વધુ વકરે તેવી શકયતાઓ છે.

ડેન્ગયુ એટલે શું

ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.