Gandhinagar: પાટીદાર આગેવાનોની બેઠકમાં પાસ કન્વીનરને આમંત્રણ ન મળતા વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનોના બેઠક પૂર્ણ થઈ છે. પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% અનામતની માગ કરી. પાટીદાર દીકરીઓના ભાગીને લગ્ન કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. લગ્ન નોંધણીમા માતા - પિતાની ફરજિયાત સંમતિની માંગ કરવામાં આવી છે. બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂકની માંગણી કરવામાં આવી છે. ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરાશે. આ સાથે જગોંડલમાં MLA કોઈ પણ હોય લોકો ખુલીને બહાર આવે. લોકો ખુલીને બહાર આવે ગોંડલમાં લોકો બીકથી જીવે છે. ગોંડલમાં અધિકારીઓ અને સરકારે જે કરવું હોય એ કરે. ટેકનિકલ કારણોસર બાકી રહેલ કેસો પરત ખેંચવામાં આવે.
પાટીદાર આગેવાનોના બેઠક
કરમસદને કરમસદધામ કે સરદારધામ તરીકે વિકાસ થાય તેવી માંગ કરવામાં આવી છે. કરમસદને મહાનગર પાલિકા બનાવી તેનો વિકાસ કરવામાં આવે તાવી માંગ કરવામાં આવી છે. બિન અનામત આયોગમાં ચેરમેનની નિયુક્તિ નથી કરવામાં આવી. લોકોને લાભ મળે એવા અધિકારીઓને નિમણૂક થાય. આર્થિક પછાતવર્ગના લોકોને યોગ્ય લાભ મળે તે જરૂરી છે. કમિટીના લોકો મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને રજૂઆત કરશે. પાટીદાર આગેવાન પૂર્વીન પટેલનું નિવેદન, 10 વર્ષ બાદ પાટીદાર આંદોલનના આગેવાનો એકઠા થયા. 10 જેટલા સમાજના મુદાઓ પર ચર્ચા થઈ છે. આવનારા સમયમાં સામાજિક મુદ્દાઓ પર કામ કરાશે.અમારું પ્રતિનિધિ મંડળ બનાવીશું સરકાર સાથે ચર્ચા કરશે.
પાટીદાર સમાજની બેઠકમાં બબાલ
ગાંધીનગરમાં પાટીદાર સમાજની બેઠકમાં બબાલ થઈ છે. પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન મળતા વિવાદ થયો છે. પાટીદાર આગેવાન શાંતિલાલ સોજીત્રાએ બબાલ કરી હતી. જયેશ પટેલને મિટિંગ માટે ન બોલાવતા બબાલ કરી છે. ચાલુ મિટિંગમાં બબાલ કરી મિટિંગમાંથી બહાર નીકળ્યા હતા.પાટીદાર આગેવાન પૂર્વીન પટેલનું નિવેદન આ અમારા કોઈના દીકરાના લગ્ન નહોતા, ઓનલાઇન આમંત્રણ હતું.લગ્નમાં ફોઈ ફુઆ નારાજ તો થાય.
What's Your Reaction?






