Dwarkaના જામ ખંભાળીયમાં મુખ્ય માર્ગો ઉખડી ગયા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે

જામ ખંભાળીયામાં મુખ્ય માર્ગો બન્યા મગરની પીઠ સમાન વરસાદ બાદ તમામ રસ્તાઓ પર 2થી 3 ફૂટના ખાડાઓ ઠેર ઠેર ખાડા પડતા વાહનચાલકોને ભારે હાલાકી દ્રારકાના જામ ખંભાળીયમાં મુખ્ય માર્ગો જાણે ઉખડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યો છે,રોડ રસ્તાઓ પર તોતિંગ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે.ખખડધજ રોડ તાત્કાલિક રિપેર કરવા શહેરીજનોની માંગ ઉઠી છે,શહેરના લગભગ તમામ માર્ગો પર બે થી ત્રણ ફૂટ જેટલા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.બીજી તરફ લોકોના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. ખાડાનું વધ્યું સામ્રાજય જામ ખંભાળીયામાં વરસી ગયેલા ભારે વરસાદને પગલે વિવિધ રોડ રસ્તાઓ પર તોતિંગ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે.શહેરના મુખ્ય માર્ગો ખખડધજ બનતા વાહન ચાલકો સહિત નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.રોડ પર જાણે એમ લાગે કે આખો રોડ ઉખડી ગયો છે ત્યારે પરિસ્થિતિ એવી જ છે રોડ તમે જોશો તો તમને પણ ઉખડેલો જ લાગશે,ત્યારે નગરપાલિકા જલદીથી રોડ રિપેર કરાવે તેવી માંગ ઉઠી છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.  

Dwarkaના જામ ખંભાળીયમાં મુખ્ય માર્ગો ઉખડી ગયા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામ ખંભાળીયામાં મુખ્ય માર્ગો બન્યા મગરની પીઠ સમાન
  • વરસાદ બાદ તમામ રસ્તાઓ પર 2થી 3 ફૂટના ખાડાઓ
  • ઠેર ઠેર ખાડા પડતા વાહનચાલકોને ભારે હાલાકી

દ્રારકાના જામ ખંભાળીયમાં મુખ્ય માર્ગો જાણે ઉખડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યો છે,રોડ રસ્તાઓ પર તોતિંગ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે.ખખડધજ રોડ તાત્કાલિક રિપેર કરવા શહેરીજનોની માંગ ઉઠી છે,શહેરના લગભગ તમામ માર્ગો પર બે થી ત્રણ ફૂટ જેટલા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.બીજી તરફ લોકોના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.

ખાડાનું વધ્યું સામ્રાજય

જામ ખંભાળીયામાં વરસી ગયેલા ભારે વરસાદને પગલે વિવિધ રોડ રસ્તાઓ પર તોતિંગ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે.શહેરના મુખ્ય માર્ગો ખખડધજ બનતા વાહન ચાલકો સહિત નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.રોડ પર જાણે એમ લાગે કે આખો રોડ ઉખડી ગયો છે ત્યારે પરિસ્થિતિ એવી જ છે રોડ તમે જોશો તો તમને પણ ઉખડેલો જ લાગશે,ત્યારે નગરપાલિકા જલદીથી રોડ રિપેર કરાવે તેવી માંગ ઉઠી છે.


1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.