CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નવા નીરના કર્યા વધામણાં

CM ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદા ડેમના વધામણાં કર્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 100 ટકા ભરાઈ ગયો હતો અને તેને લઈને આજે મુખ્યપ્રધાન દ્વારા નર્મદા ડેમના વધામણાં કરવામાં આવ્યા છે.સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર 100 ટકા ભરાયો ત્યારે ડેમ 100 ટકા ભરાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે. આ સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર 100 ટકા ભરાયો છે અને વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉપરવાસમાંથી પાણીની આવક 51,777 ક્યુસેક થઈ છે અને નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા નદીમાં પાણીની જાવક 50,847 ક્યુસેક છે. હાલમાં નર્મદા ડેમનો 1 દરવાજો 1 મીટર ખોલવામાં આવ્યો છે. 12.39 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નર્મદાના વધામણાં કરવામાં આવ્યા તમને જણાવી દઈએ કે આજે બપોરે 12.39 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નર્મદાના વધામણાં કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 11.45 વાગ્યે કેવડિયા હેલિપેડ પહોંચ્યા હતા અને ત્યારબાદ સરદાર સરોવર નર્મદા ડેમ પર બાય રોડ આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નર્મદા ડેમના વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. 

CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નવા નીરના કર્યા વધામણાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

CM ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદા ડેમના વધામણાં કર્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 100 ટકા ભરાઈ ગયો હતો અને તેને લઈને આજે મુખ્યપ્રધાન દ્વારા નર્મદા ડેમના વધામણાં કરવામાં આવ્યા છે.

સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર 100 ટકા ભરાયો

ત્યારે ડેમ 100 ટકા ભરાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે. આ સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર 100 ટકા ભરાયો છે અને વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉપરવાસમાંથી પાણીની આવક 51,777 ક્યુસેક થઈ છે અને નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા નદીમાં પાણીની જાવક 50,847 ક્યુસેક છે. હાલમાં નર્મદા ડેમનો 1 દરવાજો 1 મીટર ખોલવામાં આવ્યો છે. 

12.39 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નર્મદાના વધામણાં કરવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે આજે બપોરે 12.39 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નર્મદાના વધામણાં કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 11.45 વાગ્યે કેવડિયા હેલિપેડ પહોંચ્યા હતા અને ત્યારબાદ સરદાર સરોવર નર્મદા ડેમ પર બાય રોડ આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નર્મદા ડેમના વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે. 


સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.