Anandના ખંભાતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, પોલીસ સ્ટેશનનો પરિવારજનોએ કર્યો ઘેરાવો

આણંદના ખંભાતના નાના કલોદરામાં વ્યાજખોરોનો ત્રાસના કારણે એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે,પોલીસે ફરિયાદ ના નોંધતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ પણ કરી નથી તેવો પરિવારજનોનો આક્ષેપ છે.યુવકનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈનકાર કર્યો છે.વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત આણંદના ખંભાતના નાના કલોદરામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.યુવકે વ્યાજના રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છત્તા તેની પાસેથી વ્યાજ લેવાતું હતુ તેવો આક્ષેપ પરિવારજનો દ્રારા કરવામાં આવ્યો છે,પોલીસ સ્ટેશનમાં પરિવારજનોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને માંગ કરી છે કે વ્યાજખોરોને ઝડપી લાવો પણ પોલીસે હજી એક પણ વ્યાજખોરની ધરપકડ કરી નથી.પોલીસે ફરિયાદ નોંધી નથી જેને લઈ પરિવારનો ગુસ્સો વધતો જાય છે. પોલીસ કેમ નથી નોંધતી પોલીસ ફરિયાદ મૃતક યુવક પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી પણ પોલીસનું કહેવું છે કે આ બાબતે તપાસ કરીને ગુનો નોંધવામાં આવશે,પોલીસે પીએમ અર્થે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડયો છે.વ્યાજખોરો ઘરે આવીને ધમકી આપતા હોવાની વાત પરિવારજનોએ પોલીસને કરી છે,પરંતુ પોલીસ સ્ટેશનના પીઆઈ તમારી આળસ ખંખેરો અને અરજદારને ન્યાય અપાવો અને ગુનો નોંધો,જો પોલીસ ગુનો નહી નોંધે તો આ કેસમાં ભીનું સંકેલાઈ જશે. વ્યાજખોરો ઘરે આવી પરિવારને ધમકીઓ આપતા મૃતક યુવાનને વ્યાજખોરો ઘરે આવીને ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પોલીસે હજી એક પણ વ્યાજખોરને પૂછપરછ માટે બોલાવ્યો નથી.પોલીસનું એમ પણ કહેવું છે કે મૃતદેહનો પીએમ રીપોર્ટ આવશે પછી ફરિયાદ નોંધવામાં આવશે ત્યારે અગામી સમયમાં આ કેસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.  

Anandના ખંભાતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, પોલીસ સ્ટેશનનો પરિવારજનોએ કર્યો ઘેરાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદના ખંભાતના નાના કલોદરામાં વ્યાજખોરોનો ત્રાસના કારણે એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે,પોલીસે ફરિયાદ ના નોંધતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ પણ કરી નથી તેવો પરિવારજનોનો આક્ષેપ છે.યુવકનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈનકાર કર્યો છે.

વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
આણંદના ખંભાતના નાના કલોદરામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.યુવકે વ્યાજના રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છત્તા તેની પાસેથી વ્યાજ લેવાતું હતુ તેવો આક્ષેપ પરિવારજનો દ્રારા કરવામાં આવ્યો છે,પોલીસ સ્ટેશનમાં પરિવારજનોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને માંગ કરી છે કે વ્યાજખોરોને ઝડપી લાવો પણ પોલીસે હજી એક પણ વ્યાજખોરની ધરપકડ કરી નથી.પોલીસે ફરિયાદ નોંધી નથી જેને લઈ પરિવારનો ગુસ્સો વધતો જાય છે.



પોલીસ કેમ નથી નોંધતી પોલીસ ફરિયાદ
મૃતક યુવક પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી પણ પોલીસનું કહેવું છે કે આ બાબતે તપાસ કરીને ગુનો નોંધવામાં આવશે,પોલીસે પીએમ અર્થે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડયો છે.વ્યાજખોરો ઘરે આવીને ધમકી આપતા હોવાની વાત પરિવારજનોએ પોલીસને કરી છે,પરંતુ પોલીસ સ્ટેશનના પીઆઈ તમારી આળસ ખંખેરો અને અરજદારને ન્યાય અપાવો અને ગુનો નોંધો,જો પોલીસ ગુનો નહી નોંધે તો આ કેસમાં ભીનું સંકેલાઈ જશે.

વ્યાજખોરો ઘરે આવી પરિવારને ધમકીઓ આપતા
મૃતક યુવાનને વ્યાજખોરો ઘરે આવીને ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પોલીસે હજી એક પણ વ્યાજખોરને પૂછપરછ માટે બોલાવ્યો નથી.પોલીસનું એમ પણ કહેવું છે કે મૃતદેહનો પીએમ રીપોર્ટ આવશે પછી ફરિયાદ નોંધવામાં આવશે ત્યારે અગામી સમયમાં આ કેસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.