Ambajiના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2 મુસાફરોના થયા મોત

બનાસકાંઠાના અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2 મુસાફરોના મોત થયા છે અને 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે,ખેડાના કઠલાલના ભક્તો દર્શન કરીને પરત ફરતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.મુસાફરોનો આક્ષેપ છે કે,ડ્રાઈવર નશો કરીને બસ ચલાવી રહ્યો હતો.પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથધરી છે.ઈજાગ્રસ્તોને ખસેડયા સારવાર હેઠળ ત્રિશૂળિયા ઘાટ પર લક્ઝરી બસે પલટી મારતા 25 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે સાથે સાથે તમામને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અંબાજીથી દાંત વચ્ચે લકઝરી બસનો અકસ્માત થયો છે.4થી વધુ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવાામાં કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે પ્રોટેકશન વોલને કારણે બસ ખીણમાં ખાબકતા રહી ગઈ એટલે મોટી જાનહાની ટળી હતી,હાલ મામલતદાર તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ડ્રાઈવરે નશો કર્યો હોવાની મુસાફરો કરી રહ્યાં છે વાત સમગ્ર ઘટનામાં ડ્રાઈવરે નશો કર્યો અને બસ ચલાવી રહ્યો હોવાની વાત મુસાફરો કરી રહ્યાં છે,બસે જેવો ટર્ન લીધો અને પલટી મારી ગઈ હતી.ત્રિશૂલીયા ઘાટી પર હનુમાનજી મંદીર પાસે અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે.આ ઘટનામાં હજી પણ મૃત્યુ અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધે એવી શંકા લાગી રહી છે.ત્રિશૂળિયા ઘાટ પર વારંવાર બને છે અકસ્માતની ઘટના ત્રિશૂળિયા ઘાટ પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે અને લોકો મોતને ભેટી રહ્યાં છે,તંત્ર દ્રારા આ બાબતે કોઈ નિર્ણય લેવો જરૂરી છે,વર્ષ 2019માં સૌથી વધુ મોત અકસ્માતમાં ત્રિશૂળીયા ઘાટ પાસે બની હતી,મહત્વનું છે કે ઢાળ વાળો વિસ્તાર હોવાથી વાહન ઝડપ પકડી લે છે જેના કારણે વાહન પલટી મારવાની ઘટના બનતી હોય છે. 8 જુન 2019ના રોજ ત્રિશૂળિયા ઘાટ પર જીપે પલટી મારતા 9ના મોત થયા હતા યાત્રાધામ અંબાજી-દાંતા હાઇવે પર વડગામના ભલગામનો મુસ્લિમ પરિવાર અંતરશાહ પીરના દર્શન કરી અંબાજીથી પરત ફરતો હતો ત્યારે દાંતા પાસેના ત્રિશુળીયા ઘાટના હનુમાન મંદિરના વળાંક પર સાંજના ૬ વાગ્યે જીપની બ્રેક ફેઇલ જઇ ગઇ હતી જેથી સામેથી આવતી બાઇક ચાલકને બચાવવા જતા જીપ પલટી ગઇ હતી.આ ગોઝારા અકસ્માતમાં આઠ મહિલા સહિત નવ વ્યકિતને મોત નિપજ્યા હતા.  

Ambajiના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2 મુસાફરોના થયા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2 મુસાફરોના મોત થયા છે અને 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે,ખેડાના કઠલાલના ભક્તો દર્શન કરીને પરત ફરતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.મુસાફરોનો આક્ષેપ છે કે,ડ્રાઈવર નશો કરીને બસ ચલાવી રહ્યો હતો.પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથધરી છે.

ઈજાગ્રસ્તોને ખસેડયા સારવાર હેઠળ

ત્રિશૂળિયા ઘાટ પર લક્ઝરી બસે પલટી મારતા 25 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે સાથે સાથે તમામને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અંબાજીથી દાંત વચ્ચે લકઝરી બસનો અકસ્માત થયો છે.4થી વધુ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવાામાં કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે પ્રોટેકશન વોલને કારણે બસ ખીણમાં ખાબકતા રહી ગઈ એટલે મોટી જાનહાની ટળી હતી,હાલ મામલતદાર તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.


ડ્રાઈવરે નશો કર્યો હોવાની મુસાફરો કરી રહ્યાં છે વાત

સમગ્ર ઘટનામાં ડ્રાઈવરે નશો કર્યો અને બસ ચલાવી રહ્યો હોવાની વાત મુસાફરો કરી રહ્યાં છે,બસે જેવો ટર્ન લીધો અને પલટી મારી ગઈ હતી.ત્રિશૂલીયા ઘાટી પર હનુમાનજી મંદીર પાસે અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે.આ ઘટનામાં હજી પણ મૃત્યુ અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધે એવી શંકા લાગી રહી છે.

ત્રિશૂળિયા ઘાટ પર વારંવાર બને છે અકસ્માતની ઘટના

ત્રિશૂળિયા ઘાટ પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે અને લોકો મોતને ભેટી રહ્યાં છે,તંત્ર દ્રારા આ બાબતે કોઈ નિર્ણય લેવો જરૂરી છે,વર્ષ 2019માં સૌથી વધુ મોત અકસ્માતમાં ત્રિશૂળીયા ઘાટ પાસે બની હતી,મહત્વનું છે કે ઢાળ વાળો વિસ્તાર હોવાથી વાહન ઝડપ પકડી લે છે જેના કારણે વાહન પલટી મારવાની ઘટના બનતી હોય છે.


8 જુન 2019ના રોજ ત્રિશૂળિયા ઘાટ પર જીપે પલટી મારતા 9ના મોત થયા હતા

યાત્રાધામ અંબાજી-દાંતા હાઇવે પર વડગામના ભલગામનો મુસ્લિમ પરિવાર અંતરશાહ પીરના દર્શન કરી અંબાજીથી પરત ફરતો હતો ત્યારે દાંતા પાસેના ત્રિશુળીયા ઘાટના હનુમાન મંદિરના વળાંક પર સાંજના ૬ વાગ્યે જીપની બ્રેક ફેઇલ જઇ ગઇ હતી જેથી સામેથી આવતી બાઇક ચાલકને બચાવવા જતા જીપ પલટી ગઇ હતી.આ ગોઝારા અકસ્માતમાં આઠ મહિલા સહિત નવ વ્યકિતને મોત નિપજ્યા હતા.