Ahmedabadના ભદ્રકાળી મંદિર પરિસરને સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ કરાયું

ગાંધી જયંતિ પર સ્વચ્છતા અભિયાનને વેગ અપાયો છે મંદિર પરિસરમાં સાફ સફાઈ કરી ગાંધી વિચારો સાથે ગાંધીજીને સાંસદ અને એએમસીના સતાધીશોએ યાદ કર્યા છે શહેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમા સાંસદ દિનેશ મકવાણા, એએમસીના ગૌરાંગ પ્રજાપતિ સહિત સતાધીશો જોડાયા હતા જો કે અમદાવાદ મેયર સફાઈ અભિયાનમાં ગેરહાજર રહ્યા હતા નગરના વર્ષો જુના નગરદેવી ભદ્રકાળી મંદિર પરિસરને સતાધીશો દ્વારા સ્વચ્છ કરાયો છે સાથે જ નાગરિકોએ સ્વચ્છતા પોતાના વોર્ડમાં રાખવાના પણ અપીલ કરી છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ રહ્યાં હાજર હાલ દેશભરમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના નેતાઓ આ સ્વચ્છતા કાર્યક્રમમમાં જોડાઈ રહ્યાં છે,મંદિર અને જાહેર જગ્યાઓને સ્વચ્છ કરવાનું કામ કરી રહ્યાં છે,ત્યારે અગામી સમયમાં એટલે કે 31 ઓકટોબર સુધી અલગ-અલગ જગ્યાએ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે,ત્યારે અમદાવાદમાં પણ સ્વચ્છતા અભિયાન કરાયું હતું. પુરસ્કાર થકી સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી અપાનાર ૧૯૮ એવોર્ડમાં રોકડ પુરસ્કાર તરીકે જિલ્લાના શ્રેષ્ઠ એક તાલુકાને રૂ. ૩૦ લાખની રકમ આપવામાં આવશે. જ્યારે, જિલ્લા દીઠ શ્રેષ્ઠ પાંચ ગામોને ગામ દીઠ રૂ. ૧૦ લાખની રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવશે. આમ, રાજ્યભરમાં રૂ. ૭૧.૮૦ કરોડના કુલ ૨૨૨ પુરસ્કાર થકી સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા, તાલુકા અને ગામોને સન્માનિત કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં યોજાનાર આ અભિયાન અંતર્ગત દૈનિક તેમજ અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્ગો, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, જળ સંસ્થાનો, પ્રતિમાઓ, માર્કેટ જેવા જાહેર સ્થળો ઉપરાંત સરકારી કચેરીઓ અને સંસ્થાઓની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. આશ્રિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે તદુપરાંત, આ અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે સાંસ્કૃતિક ઉત્સવ, શ્રમ દાન દિવસ, સ્વચ્છતા રેલી, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફ, ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન, શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી, સ્વચ્છ સેલ્ફી સ્ટેશન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છ સ્વાદ ગલીયા, કચરે સે કંચન વર્કશોપ, સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન, સ્વચ્છતા સંવાદ તેમજ સ્વચ્છ કલા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર દરમિયાન તમામ સફાઈ કર્મચારીઓ તેમજ વિસ્તારના અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

Ahmedabadના ભદ્રકાળી મંદિર પરિસરને સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધી જયંતિ પર સ્વચ્છતા અભિયાનને વેગ અપાયો છે મંદિર પરિસરમાં સાફ સફાઈ કરી ગાંધી વિચારો સાથે ગાંધીજીને સાંસદ અને એએમસીના સતાધીશોએ યાદ કર્યા છે શહેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમા સાંસદ દિનેશ મકવાણા, એએમસીના ગૌરાંગ પ્રજાપતિ સહિત સતાધીશો જોડાયા હતા જો કે અમદાવાદ મેયર સફાઈ અભિયાનમાં ગેરહાજર રહ્યા હતા નગરના વર્ષો જુના નગરદેવી ભદ્રકાળી મંદિર પરિસરને સતાધીશો દ્વારા સ્વચ્છ કરાયો છે સાથે જ નાગરિકોએ સ્વચ્છતા પોતાના વોર્ડમાં રાખવાના પણ અપીલ કરી છે.

અમદાવાદ પશ્ચિમના સાંસદ રહ્યાં હાજર

હાલ દેશભરમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના નેતાઓ આ સ્વચ્છતા કાર્યક્રમમમાં જોડાઈ રહ્યાં છે,મંદિર અને જાહેર જગ્યાઓને સ્વચ્છ કરવાનું કામ કરી રહ્યાં છે,ત્યારે અગામી સમયમાં એટલે કે 31 ઓકટોબર સુધી અલગ-અલગ જગ્યાએ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે,ત્યારે અમદાવાદમાં પણ સ્વચ્છતા અભિયાન કરાયું હતું.


પુરસ્કાર થકી સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી

આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી અપાનાર ૧૯૮ એવોર્ડમાં રોકડ પુરસ્કાર તરીકે જિલ્લાના શ્રેષ્ઠ એક તાલુકાને રૂ. ૩૦ લાખની રકમ આપવામાં આવશે. જ્યારે, જિલ્લા દીઠ શ્રેષ્ઠ પાંચ ગામોને ગામ દીઠ રૂ. ૧૦ લાખની રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવશે. આમ, રાજ્યભરમાં રૂ. ૭૧.૮૦ કરોડના કુલ ૨૨૨ પુરસ્કાર થકી સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા, તાલુકા અને ગામોને સન્માનિત કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં યોજાનાર આ અભિયાન અંતર્ગત દૈનિક તેમજ અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્ગો, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, જળ સંસ્થાનો, પ્રતિમાઓ, માર્કેટ જેવા જાહેર સ્થળો ઉપરાંત સરકારી કચેરીઓ અને સંસ્થાઓની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

આશ્રિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે

તદુપરાંત, આ અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે સાંસ્કૃતિક ઉત્સવ, શ્રમ દાન દિવસ, સ્વચ્છતા રેલી, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફ, ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન, શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી, સ્વચ્છ સેલ્ફી સ્ટેશન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છ સ્વાદ ગલીયા, કચરે સે કંચન વર્કશોપ, સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન, સ્વચ્છતા સંવાદ તેમજ સ્વચ્છ કલા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર દરમિયાન તમામ સફાઈ કર્મચારીઓ તેમજ વિસ્તારના અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે.