Ahmedabad-Rajkot હાઈવે વરસાદના કારણે ધોવાયો, 3 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો

અમદાવાદ-રાજકોટ હાઈવે વરસાદી પાણીથી ધોવાઈ ગયો હોવાની વાત સામે આવી છે,હાઈવે ધોવાતા 3 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે,રોડ ખરાબ હોવાથી મોટા વાહનોની લાઈનો લાગે છે,આ સમસ્યા જયારથી રોડ ખરાબ થયો છે,ત્યારથી બની છે,રોડની બન્ને બાજુનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે જેના કારણે ભારે હાલાકી પડી રહી છે. હાઈવે ધોવાતા 3 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદ-રાજકોટ હાઈવે ધમધમતો હાઈવે છે,આ હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે,પરંતુ રોડ પર કપચી ઉખડી જતા આ રોડ ખરાબ બની ગયો છે.બગોદરા પાસે ભોગાવો નદીના પુલ પર પણ ખાડા જોવા મળ્યા છે.સાથે સાથે પોલીસ પણ ટ્રાફિક મેનેજ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે,આ રોડ કયારે સારો થશે તેની કોઈ ગેરંટી નથી,પરંતુ ખરાબ રોડના કારણે વાહન વ્યવહારને ભારે અસર થાય છે અને ટ્રાફિક જામની સમસ્યા રહે છે.વાહનચાલકોનું કહેવું છે કે અમદાવાદથી રાજકોટ જઉં હોય તો પહેલા 3 કલાક લાગતા હતા અને હવે 4 કલાકથી વધારેનો સમય લાગી રહ્યો છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.  

Ahmedabad-Rajkot હાઈવે વરસાદના કારણે ધોવાયો, 3 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ-રાજકોટ હાઈવે વરસાદી પાણીથી ધોવાઈ ગયો હોવાની વાત સામે આવી છે,હાઈવે ધોવાતા 3 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે,રોડ ખરાબ હોવાથી મોટા વાહનોની લાઈનો લાગે છે,આ સમસ્યા જયારથી રોડ ખરાબ થયો છે,ત્યારથી બની છે,રોડની બન્ને બાજુનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે જેના કારણે ભારે હાલાકી પડી રહી છે.

હાઈવે ધોવાતા 3 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો

અમદાવાદ-રાજકોટ હાઈવે ધમધમતો હાઈવે છે,આ હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે,પરંતુ રોડ પર કપચી ઉખડી જતા આ રોડ ખરાબ બની ગયો છે.બગોદરા પાસે ભોગાવો નદીના પુલ પર પણ ખાડા જોવા મળ્યા છે.સાથે સાથે પોલીસ પણ ટ્રાફિક મેનેજ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે,આ રોડ કયારે સારો થશે તેની કોઈ ગેરંટી નથી,પરંતુ ખરાબ રોડના કારણે વાહન વ્યવહારને ભારે અસર થાય છે અને ટ્રાફિક જામની સમસ્યા રહે છે.વાહનચાલકોનું કહેવું છે કે અમદાવાદથી રાજકોટ જઉં હોય તો પહેલા 3 કલાક લાગતા હતા અને હવે 4 કલાકથી વધારેનો સમય લાગી રહ્યો છે.


1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.