Ahmedabad: મધ્ય ઝોનમાં વિવિધ ગેટને રૂ. 75 લાખના ખર્ચે મધ્ય રિપેરિંગ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરના મધ્ય ઝોનમાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સ્થાનો પર ગેટ આવેલા છે.
જેના રિપેરિંગ માટેની અને તેના રિનોવેશન માટેની માંગણી રહેલી છે આ માટે આખરે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મધ્યઝોનના દરિયાપુર, કાલુપુર, પ્રેમ દરવાજા, નવતાડ, શાહપુર સહિતના વિવિધ વિસ્તારોમાં ગેટના રિપેરિંગ કરવા માટે રૂ.7.95 લાખના હેઠળ પાંચ હિસાબે 39.75 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત દરિયાપુરમાં હયાત ગેટના રિપેરિંગ કરીને તેના દિશા સૂચક બોર્ડ બનાવવાની કામગીરી માટે રૂ.35 લાખ ખર્ચ કરવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં ગેટ અને તેના દિશા સૂચક બોર્ડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે જુદી જુદી જગ્યાએ ગેટના રિપેરિંગની જરૂરિયાત ઉભી થઈ છે. આ માટે ચોમાસાના શરૂઆત પહેલા નવા બોર્ડ લગવવા અને ગેટના રિપેરિંગ કરવા જેવી કામગીરી કરવામાં આવનાર છે. જેમાં પાંચ સ્થાનો પર મધ્યઝોનના દરિયાપુર, કાલુપુર, પ્રેમ દરવાજા, નવતાડ, શાહપુરમાં દરેક સ્થાનો પર રૂ.7.95 લાખના હેઠળ કામગીરી કરાશે અને તેના માટે રૂ. 39.75 લાખનો ખર્ચ થશે, જ્યારે દરિયાપુરમાં વધુ રૂ.35 લાખ ખર્ચ કરીને ગેટ સાથે નવા બનાવવા માટેની કામગીરી કરવામાં આવશે.
What's Your Reaction?






