Ahmedabad: નવા વિંઝોલના ભરવાડ વાસમાં ગટરના પાણી ઘરમાં ઘૂસ્યાં : રોગચાળો વકર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પૂર્વ વિસ્તારમાં ગટર બેક મારવાની મોટી સમસ્યા બની ગઈ છે. પૂર્વના તમામ વોર્ડમાં ગટર બેક મારવાની અનેક ફરિયાદ છતાં મ્યુનિ. તંત્ર દ્વારા સમસ્યાનો હલ કરવામાં નિરાકરણ લાવી રહી નથી. ત્યારે રહીશોમાં પણ મ્યુનિ. સામે રોષ જોવા મળ્યો છે.
નવા વિઝોલ બચુભાઈના કુવા પાસે ગીરાપરા ભરવાડ વાસમાં ચાલીમાં રહીશોના ઘરમાં ગટરના પાણી ઘૂસી ગયા છે. ત્યારે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. અનેક લોકો બીમાર પડયા છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રોડ પર ગટરના પાણીની નદી વહેતા લોકોને રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. અતિશય ગટરના પાણીથી દુર્ગંધ મારતા લોકોને મોઢે રૂમાલ રાખીને નિકળું પડી રહ્યું છે. મ્યુનિ. તંત્રને વારંવાર ફરિયાદો કરવા છતાં ગટર બેક મારવાની સમસ્યા ઉકેલવામાં ધ્યાન આપી રહી નથી.સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, થોડા દિવસમાં ચોમાસું શરૂ થવાનું છે, ત્યારે ગટર બેક મારવાની સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિકોની માગ છે. હાલમાં જ ગટરના પાણી ઘરમાં ઘૂસી રહ્યા છે. તો ચોમાસાંમા ભારે વરસાદના કારણે ગટરના પાણી ફરી ઘરમાં ઘૂસવાની શક્યતા છે. તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
What's Your Reaction?






