Ahmedabadના ઘાટલોડિયમાં વર્તુળ આકારમાં ભૂવો પડતા રોડ કરાયો બંધ

ઘાટલોડિયા પોલીસ સ્ટેશન રોડ પર પડયો ભુવો ભૂવો પડવાના કારણે બંને તરફનો માર્ગ કરાયો બંધ માર્ગ બંધ થવાથી પોલીસ સ્ટેશનની અવરજવર બંધ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રોડ પર ભૂવો પડતા બન્ને તરફના રોડ બંધ કરાયા છે,શહેરમાં વરસાદના કારણે અનેક રોડ તૂટયા છે.પારસનગરથી ઘટલોડિયા પોલીસ સ્ટેશન રોડ પર મસ મોટો ભૂવો પડતા વાહનચાલકોને ફરીને જવાનો વારો આવ્યો છે,શહેરમાં વરસાદના કારણે ભૂવા પડવાની સમસ્યા સર્જાઈ છે,હાલ તો કોર્પોરેશન દ્રારા રોડ બંધ કરી ભૂવાને રીપેર કરવાની કામગીરી ચાલી રહી છે.શહેરમાં 40થી વધુ ભૂવા પડયા અમદાવાદ શહેરમાં વરસાદના કારણે 40થી વધુ ભૂવા પડયા હોવાની વાત સામે આવી છે,શહેરમાં સૌથી વધુ ભૂવા અને ખરાબ રોડ પૂર્વ વિસ્તારમાં છે,અમદાવાદના ઘાટલોડિયામાં ભૂવો પડવાના કારણે સ્થાનિકોને બે કિમી ફરીને જવાનો વારો આવ્યો છે,શહેરમા ભૂવા પડતા સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો છે,તેમનું કહેવુ છે કે,અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભૂવો પડવાની તેમજ રોડ ખરાબ થવાની સમસ્યા સર્જાતી હોય છે. અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 319 ભૂવા પડ્યા: AMC વિપક્ષ નેતા AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે વધુમાં કહ્યું કે અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 319 ભૂવા પડ્યા છે અને આ ભૂવા રિપેર કરવામાં 4 વર્ષમાં 48 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ત્યારે વર્ષોથી એએમસી દ્વારા એક જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, RKC નામની કંપનીને રૂપિયા 600 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. શહેરમાં રોડ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું શહેરમાં વ્હાઈટ ટોપિંગ રોડ, પ્લાસ્ટિક રોડ, આઈકોનિક રોડ જેવા અનેક અલગ અલગ નામ આપવામાં આવે છે પણ રોડની સ્થિતિ એકની એક જ જોવા મળે છે. શહેરમાં રોડ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. ત્યારે હવે અમે રોડને લઈને વિજિલન્સ તપાસની માગ કરીશું તેવુ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું

Ahmedabadના ઘાટલોડિયમાં વર્તુળ આકારમાં ભૂવો પડતા રોડ કરાયો બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઘાટલોડિયા પોલીસ સ્ટેશન રોડ પર પડયો ભુવો
  • ભૂવો પડવાના કારણે બંને તરફનો માર્ગ કરાયો બંધ
  • માર્ગ બંધ થવાથી પોલીસ સ્ટેશનની અવરજવર બંધ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રોડ પર ભૂવો પડતા બન્ને તરફના રોડ બંધ કરાયા છે,શહેરમાં વરસાદના કારણે અનેક રોડ તૂટયા છે.પારસનગરથી ઘટલોડિયા પોલીસ સ્ટેશન રોડ પર મસ મોટો ભૂવો પડતા વાહનચાલકોને ફરીને જવાનો વારો આવ્યો છે,શહેરમાં વરસાદના કારણે ભૂવા પડવાની સમસ્યા સર્જાઈ છે,હાલ તો કોર્પોરેશન દ્રારા રોડ બંધ કરી ભૂવાને રીપેર કરવાની કામગીરી ચાલી રહી છે.

શહેરમાં 40થી વધુ ભૂવા પડયા

અમદાવાદ શહેરમાં વરસાદના કારણે 40થી વધુ ભૂવા પડયા હોવાની વાત સામે આવી છે,શહેરમાં સૌથી વધુ ભૂવા અને ખરાબ રોડ પૂર્વ વિસ્તારમાં છે,અમદાવાદના ઘાટલોડિયામાં ભૂવો પડવાના કારણે સ્થાનિકોને બે કિમી ફરીને જવાનો વારો આવ્યો છે,શહેરમા ભૂવા પડતા સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો છે,તેમનું કહેવુ છે કે,અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભૂવો પડવાની તેમજ રોડ ખરાબ થવાની સમસ્યા સર્જાતી હોય છે.


અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 319 ભૂવા પડ્યા: AMC વિપક્ષ નેતા

AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે વધુમાં કહ્યું કે અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 319 ભૂવા પડ્યા છે અને આ ભૂવા રિપેર કરવામાં 4 વર્ષમાં 48 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ત્યારે વર્ષોથી એએમસી દ્વારા એક જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, RKC નામની કંપનીને રૂપિયા 600 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.

શહેરમાં રોડ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું

શહેરમાં વ્હાઈટ ટોપિંગ રોડ, પ્લાસ્ટિક રોડ, આઈકોનિક રોડ જેવા અનેક અલગ અલગ નામ આપવામાં આવે છે પણ રોડની સ્થિતિ એકની એક જ જોવા મળે છે. શહેરમાં રોડ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. ત્યારે હવે અમે રોડને લઈને વિજિલન્સ તપાસની માગ કરીશું તેવુ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું