સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે ઈટલીના નૌકાદળના બે સૈનિકો વિરુદ્ધ ચાલી રહેલો 2 ભારતીય માછીમારોની હત્યાનો કેસ બંધ નહિ થાય. કેસ ત્યારે જ બંધ કરવામાં આવશે જ્યારે ઈટલી માર્યા ગયેલ માછીમારોના પરિવારને વળતર ચૂકવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માછીમારોના પરિવારજનોની પ્રતિક્રિયા જાણ્યા વગર કોઈ નિર્ણય જાહેર કરવામા નહિ આવે.
લગભગ એક મહિના પહેલા આંતરરાષ્ટ્રીય કોર્ટે ચૂકાદામાં કહ્યું હતું કે, આ મામલો ભારતીય કાયદાના કાર્યક્ષેત્રની બહારનો છે. જોકે આંતરરાષ્ટ્રીય કોર્ટે ઈટલીને વળતર ચૂકવવા જણાવ્યું હતું. આ નિર્ણય બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ સમક્ષ નેવીના બંને સૈનિકો વિરુદ્ધ કેસ બંધ કરવાની અપીલ કરી હતી.
શું છે મામલો?
15 ફેબ્રુઆરી, 2012ના રોજ ઈટલીના નૌકાદળના 2 સૈનિક સેલવાટોર ગિરોન અને મૈસિમિલાનો લૈટોરેએ કેરળ નજીક સમુદ્રમાં 2 ભારતીય માછીમારોની ગોળી મારીને હત્યા કરી હતી. ભારતે બંને સૈનિકોની ધરપકડ કરી લીધી હતી. આ બાબતે ઇટલીનું કહેવું હતું કે આ ઘટના ભારતીય સમુદ્ર સરહદની બહાર બની હતી, માટે ભારત કોઈ કાર્યવાહી કરી શકે નહીં. ભારતે કહ્યું હતુ કે માર્યા ગયેલ બંને માછીમારો ભારતના હતા તેથી કાર્યવાહી પણ ભારત જ કરશે
વર્ષ 2015માં ભારતે આરોપી સૈનિકોને ઇટાલી મોકલ્યા હતા
ભારતે ઈટલીના નૌકાદળના બંને સૈનિકોને વર્ષ 2015માં જામીન મામલે નરમ વલણ અપનાવતા વોટિંગમાં સામેલ થવા માટે ઇટાલી મોકલ્યા હતા. ત્યારબાદ ઇટલીએ આ સૈનિકોને ભારત પરત મોકલ્યા નથી.
ભારતે ઈટલીના બંને સૈનિકોને વર્ષ 2015માં જામીન મામલે નરમ વલણ અપનાવીને વોટિંગમાં સામેલ થવા માટે ઇટલી મોકલ્યા હતા.- ફાઈલ ફોટો