સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી નેપોટિઝ્મ પછી હવે બોલીવૂડમાં દીપિકા પાદુકોણને લઈને અન્ય એક વિવાદ શરુ થઇ ગયો છે. પૂર્વ RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ઓફિસર એન. કે સૂદે દીપિકા પર આરોપ લગાવ્યો છે કે, તે JNU પ્રોટેસ્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકના વ્યક્તિના કહેવા પર ગઈ હતી અને તેણે 5 કરોડ રૂપિયા લીધા હતા.
Hey @Variety ... Thank you for reporting.However, a)The film is not titled #Prabhas21.It only happens to be Prabhas’s 21st film. b)It is a trilingual film:Hindi,Tamil & Telugu Kindly make note. Thank You... https://t.co/WCYmPAzLBx
— Deepika Padukone (@deepikapadukone) July 19, 2020રિપોર્ટ પ્રમાણે, સૂદે પોતાની યુટ્યુબ ચેનલ પર આ વર્ષની શરૂઆતમાં આ વીડિયો અપલોડ કર્યો હતો. તેમણે વીડિયોમાં કહ્યું કે, દીપિકાનું કનેક્શન પાકિસ્તાની નાગરિક અનિલ મુસર્રત સાથે છે. 51 વર્ષીય અનિલ માન્ચેસ્ટરમાં રહે છે અને તે રિયલ એસ્ટેટનો બિઝનેસમેન છે. JNUમાં CAA વિરુદ્ધ પ્રદર્શનમાં જવા બદલ તેણે 5 કરોડ રૂપિયા લીધાં હતાં.
વધુમાં ઓફિસરે કહ્યું કે, અનિલ સાથે ઇમરાન ખાનના પણ નજીકના સંબંધ છે. અનિલે ઈમરાનના ઈલેક્શન કેમ્પેનમાં પણ રોકાણ કર્યું હતું. આ ઉપરાંત ઇમરાનના હાઉસિંગ પ્રોજેક્ટમાં પણ તેનો ભાગ છે. આ પ્રોજેક્ટમાં ઇમરાન 50 લાખ ઘર બનાવવા માગે છે. JNUમાં જતા પહેલાં દીપિકાને બે કોલ આવ્યા હતા, તેમાંથી એક કરાચી અને બીજો કોલ દુબઈથી આવ્યો હતો. અનિલ કે તેની સાથે જોડાયેલી વ્યક્તિએ દીપિકાને JNUમાં જવા માટે વિનંતી કરી હતી.
View this post on Instagram@ishkaransinghbhandari @team_kangana_ranaut @payalrohatgi @manojtiwari.mp @justiceforsushant897 @the.quanta.q @boycottnepotism @sushantsinghrajput @sushant_will_get_justice @_justice_for_sush #staystrongstandtogether #candle4ssr #cbimustforsushant #nksood #cbiforsushant
A post shared by Justforssr (@kingssr14) on Jul 24, 2020 at 8:08pm PDT
દીપિકા આ વર્ષની શરુઆતમાં રિલીઝ થયેલી છપાક ફિલ્મનાં પ્રમોશન માટે JNU ગઈ હતી. ત્યાં તે એક પણ શબ્દ બોલ્યા વગર વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં હાજર રહી હતી. અહિ તેને JNUના વિદ્યાર્થી રહી ચૂકેલા કન્હૈયા કુમારનું સમર્થન મળ્યું હતું. કન્હૈયા કુમારે વર્ષ 2016માં JNU કેમ્પસમાં સંસદ વિસ્ફોટના આરોપી અફઝલ ગુરુના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
સૂદે કહ્યું કે, અનિલની દીકરીના લગ્ન વર્ષ 2017માં થયા હતા. તેમાં રણબીર સિંહ, હૃતિક રોશન, સોનમ કપૂર, અનિલ કપૂર, સુનીલ શેટ્ટી અને કરણ જોહર સિવાય અન્ય સેલેબ્સ સામેલ હતા. અનિલ કપૂર પાકિસ્તાની નાગરિક અનિલ મુસર્રતને 25 વર્ષથી ઓળખે છે. અનિલ લંડનમાં એન્ટિ CAA પ્રોટેસ્ટને પણ ફંડિંગ કર્યું હતું.
The kind of idiotic misinformation that is peddled ceaselessly by RW about #Bollywood is partly why we as a public accept any kind of conspiracy theory- however vulgar and outlandish! A rampant culture of stupidity... https://t.co/Bsk0uyugTr
— Swara Bhasker (@ReallySwara) July 29, 2020આ વાત પર સ્વરા ભાસ્કરે ટ્વીટ કરીને આ વાતને મિસઇન્ફોર્મેશન અને વલ્ગર ગણાવી હતી.
Allegations Of Former RAW Officer NK SOOD Deepika Padukone Joined JNU's Protest At The Behest Of Aneel Mussarat