Ambajiમાં સફાઈ યોધ્ધાઓનું જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે સન્માન કરાયું

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાના યોધ્ધાઓ એવા સફાઈ કર્મચારીઓનું જિલ્લા કલેકટર અને શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેળા દરમિયાન મેળાની સફાઈની જવાબદારી 1200 જેટલા સફાઈ કર્મીઓએ નિષ્ઠાપૂર્વક બજાવી છે.રાત-દિવસ સફાઈકર્મીઓએ કરી મહેનત વહેલી સવારથી મોડી રાત સુધી સ્વચ્છતાની કામગીરીમાં જોતરાયેલા સફાઈ કર્મચારીઓની સેવાથી પ્રસન્ન અને સંતોષ વ્યક્ત કરતાં ખુદ જિલ્લા કલેકટર મિહિર પટેલે સફાઈ કર્મીઓને માના દર્શન કરાવ્યા હતા. તેમજ મેળા દરમિયાન ની સફાઈ કામગીરીને બિરદાવી સૌને ભાદરવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થવા બદલ શુભકામના પાઠવી આભાર માન્યો હતો. સફાઈ કર્મીઓએ માથે મા અંબેના ચરણ પાદુકા મૂકી મા ના આશીર્વાદ મેળવ્યા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાન આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, અંબાજીને સ્વચ્છ રાખવામાં સફાઈ કર્મીઓની ભૂમિકા ખૂબ અગત્યની છે. દેશમાં જ્યારે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અંબાના ધામમાં સફાઈ કર્મીઓએ આપેલી સેવા ખૂબ અનોખી છે. અંબાજી મંદિર થી લઈ અંબાજી ગામને સ્વચ્છ રાખવામાં સફાઈ યોદ્ધાઓએ યુદ્ધમાં સૈનિકો કામ કરતા હોય એ પ્રકારે નિષ્ઠાપૂર્વક સ્વચ્છતાની જવાબદારી અદા કરી છે. હું તેમની કામગીરીને બિરદાવી તેમને વંદન કરું છું. કલેકટરે કરાવ્યા દર્શન ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર મિહિર પટેલની સૂચના અને માર્ગ દર્શન હેઠળ સ્વચ્છતા સમિતિના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરીને સેવા રૂપે બજવવામાં આવી હતી. જે અંતર્ગત દિવસમાં ત્રણવાર મેળામાં વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી યાત્રાળુઓને સ્વચ્છતાની અનુભૂતિ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Ambajiમાં સફાઈ યોધ્ધાઓનું જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે સન્માન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાના યોધ્ધાઓ એવા સફાઈ કર્મચારીઓનું જિલ્લા કલેકટર અને શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેળા દરમિયાન મેળાની સફાઈની જવાબદારી 1200 જેટલા સફાઈ કર્મીઓએ નિષ્ઠાપૂર્વક બજાવી છે.

રાત-દિવસ સફાઈકર્મીઓએ કરી મહેનત
વહેલી સવારથી મોડી રાત સુધી સ્વચ્છતાની કામગીરીમાં જોતરાયેલા સફાઈ કર્મચારીઓની સેવાથી પ્રસન્ન અને સંતોષ વ્યક્ત કરતાં ખુદ જિલ્લા કલેકટર મિહિર પટેલે સફાઈ કર્મીઓને માના દર્શન કરાવ્યા હતા. તેમજ મેળા દરમિયાન ની સફાઈ કામગીરીને બિરદાવી સૌને ભાદરવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થવા બદલ શુભકામના પાઠવી આભાર માન્યો હતો. સફાઈ કર્મીઓએ માથે મા અંબેના ચરણ પાદુકા મૂકી મા ના આશીર્વાદ મેળવ્યા હતા.



સ્વચ્છતા હી સેવા અભિયાન
આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, અંબાજીને સ્વચ્છ રાખવામાં સફાઈ કર્મીઓની ભૂમિકા ખૂબ અગત્યની છે. દેશમાં જ્યારે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અંબાના ધામમાં સફાઈ કર્મીઓએ આપેલી સેવા ખૂબ અનોખી છે. અંબાજી મંદિર થી લઈ અંબાજી ગામને સ્વચ્છ રાખવામાં સફાઈ યોદ્ધાઓએ યુદ્ધમાં સૈનિકો કામ કરતા હોય એ પ્રકારે નિષ્ઠાપૂર્વક સ્વચ્છતાની જવાબદારી અદા કરી છે. હું તેમની કામગીરીને બિરદાવી તેમને વંદન કરું છું.



કલેકટરે કરાવ્યા દર્શન
ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર મિહિર પટેલની સૂચના અને માર્ગ દર્શન હેઠળ સ્વચ્છતા સમિતિના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરીને સેવા રૂપે બજવવામાં આવી હતી. જે અંતર્ગત દિવસમાં ત્રણવાર મેળામાં વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી યાત્રાળુઓને સ્વચ્છતાની અનુભૂતિ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.